Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ ખાતે મુસ્લિમ બિરાદરોએ નમાજ પઢી ઈદની ઉજવણી કરી

Share

મુસ્લિમ સમાજમાં ઈસ્લામિક માસના અંતિમ મહિનો એટલે કે ઝિલ હજજાનું અનેરું મહત્વ છે. આ માસમાં દુનિયાભરના મુસ્લિમ બિરાદરો મક્કા શરિફ હજ અદા કરવા માટે જતાં હોય છે, જ્યારે 10 માં ચાંદ એટલે કે, દસમા દિવસે ઈદુલ અઝહાની ઉજવણી પોતાની પ્રિય પાલવેલ જાનવરની કુરબાની આપી કરવામાં આવે છે.

ઈદના દિવસે ઈદુલ અઝહાની નમાજ એટલે કે, મસ્જિદમાં કે ઈદગાહમાં જઈને ખુત્બા સાંભળી નમાજ અદા કરી એકબીજાને શુભેચ્છા આપી હર્ષોલ્લાસ સાથે મુસ્લિમ સમાજના લોકો તહેવારની ઉજવણી કરતાં હોય છે. સતત ત્રણ દિવસ સુધી ઉજવાતા ઈદના તહેવારની આમોદના નગરજનોએ નમાજ પઢીને ઉજવણી કરી હતી. શાંતિપૂર્ણ માહોલમાં સૌ મુસ્લિમ ભાઈઓએ ઈદની નમાજ પઢી હતી. આ દરમિયાન તહેવાર કોમી એખલાસના વાતાવરણમાં ઉજવાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે પોલીસનો સવારથી બંદોબસ્ત જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મુસ્લિમજનો ઉત્સાહભેર મસ્જિદોમાં નમાજ માટે ઉમટી પડ્યા હતા અને ખુદાની બંદગી માટે નમાજ અદા કરી દુઆઓ ગુજારવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

વાહનોનાં PUC નાં દરમાં ગુજરાત સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મૂળ કલકત્તાના રહેવાસી ખાસ નર્મદા નદીની માટીમાંથી બનાવે છે ગણેશ મૂર્તિઓ.

ProudOfGujarat

ભરૂચમાં સીટી બસ સંચાલકોની વધતી દાદાગીરીને આક્ષેપ સાથે જય ભારત ઓટો રીક્ષા એસોસિએશને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!