Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પહેલગામના આંતકી હુમલા લઈને આમોદમા ભાજપે વિરોધ કર્યોં

Share

પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચાર કરવામાં આવ્યા.

આમોદ -જંબુસર ભાજપ ના હોદ્દેદારો દ્વારા પહેલગામ આંતકવાદી હુમલા મા નિર્દોષ પ્રવાસીઓના હત્યા બાબતે મૌન પાડી ને શ્રદ્ધાંજલિ અર્પી ને ઘોરનિંદા કરવામાં આવી .ભરૂચ જિલ્લા ના આમોદ – જંબુસર ના ધારાસભ્ય દેવ કિશોર સ્વામી સહિત ભાજપ ના આમોદ -જંબુસર શહેર તેમજ તાલુકા ના મોટી સંખ્યામાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અને નગરજનો દ્વારા મામલતદાર કચેરી ડોક્ટર બાબા સાહેબ ના સાનિધ્યમાં બે મિનિટનું મૌન પાડી ને ગત રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમા પાકિસ્તાની આંતકવાદી દ્વારા ગોળીબાર કરતા પહેલા પ્રવાસીઓના નામ પૂછી ને અને ધર્મ પૂછીને ગોળીબાર કરીને નિર્દોષ લોકોને જાનલેવા હુમલો કરી ને નિર્મમ હત્યા કરવા મા આવી તે વખોદવા મા આવી.અને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે અમને આશા છે અમારા વડાપ્રધાન ઉપ્પર અને ગૃહ મંત્રી ઉપર કે સમયે જવાબ મળશે ક્યારે અમારી સરકાર છોડતી નથી અને છોડશે પણ નહીં ઇટ નો જવાબ પથ્થરથી આપવા મા આવશે અને જે પી.ઓ. કે જે આતંકવાદીઓ થી ઘેરાયેલું છે અને સતત હુમલા કરીને ભારત ના નિર્દોસ લોકો ની હત્યા કરી રહેલા છે એનો જવાબ ટૂંક સમય મા આપવા આવશે.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં આવેલ આશાપુરી મંદિરના વિસ્તારમાં સરકારી નળમાંથી સાપનો કણ નીકળતાં લોકોમાં રોષ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પોલીયો બુથ પર ત્રણ દિવસીય પોલિયો રસીકરણ ઝૂંબેશ યોજાઈ.

ProudOfGujarat

વલણ ગામે ટી. કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!