Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગના વણખૂંટા ગામ ખાતે 9 વર્ષીય બાળકને દીપડો ખેંચીને લઈ જઈ ફાડી ખાતા મોત નીપજાવ્યું

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના જંગલ વિસ્તારને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દીપડાઓ જોવા મળતા હોય છે, કેટલાક દીપડાઓ માનવ ભક્ષી તો કેટલાક દીપડા શાંત સ્વભાવના હોવાનું કહેવાય છે, જોકે એક આદમ ખોર દીપડાના આતંકના કારણે બાળકે જીવ ગુમાવવા જેવી બાબત સામે આવી છે.

નેત્રંગ તાલુકાના વણખુંટા ગામ ખાતે નિશાળ ફળિયા પાસે રહેતા 9 વર્ષીય શૈલૈયા ભાઈ દેવેન્દ્રભાઈ વસાવા નાઓ ગત સાંજના સમયે વણખુંટા ગામની સીમમાં કુદરતી હાજતે ગયો હ્તો, તે જ દરમ્યાન અચાનક ત્યાં આદમ ખોર દીપડો આવી પહોંચ્યો હ્તો, અને સૈલૈયાને ખેંચીને જાલીકુવા ટેકરી વાળી સીમમાં લઈ જઈ ફાડી ખાતા તેની ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Advertisement

ઘટના અંગેની જાણ ગ્રામજનોને થતા તેઓએ તેના પરિવાર અને પોલીસ સહિત ઝઘડિયા ફોરેસ્ટને જાણ કરી બાળકની શોધખોળ હાથ ધરી હતી જે બાદ જંગલ વિસ્તારમાંથી મૃત હાલતમાં બાળક મળી આવતા નેત્રંગ પોલીસે બાળકની લાશનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી હતી.


Share

Related posts

સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ પ્રમોશન માટે ડિરેક્ટર, અભિનેતા અક્ષય કુમાર અભિનેત્રી અને મિસ વર્લ્ડ માનુષી છીલ્લર એ સોમનાથ મહાદેવની પૂજા કરી.

ProudOfGujarat

નવરાત્રિ પર્વ દરમિયાન પાવાગઢમાં ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ

ProudOfGujarat

ભરૂચમાં પર્યુષણના મહાપવિત્ર પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવા જૈન મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!