Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ વેજલપુર અંબાજી પદયાત્રા સંઘનાં ૭૫ માઈ ભક્તો ૧૩ દિવસ પદયાત્રા કરી અંબાજીમાં ૫૨ ગજની ૧૧ ધજા ચઢાવી

Share

ભાદરવી પૂનમના મેળો આજથી શરૂ થાય છે ત્યારે દુર-દુરથી ભક્તો માતાજીને શિષ જુકાવવા માટે ચાલતા અંબાજી પહોંચીને અનોખી શ્રદ્ધાના દર્શન કરાવે છે.

ભાદરવી પૂનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય દિવસ. જગદંબાના પ્રાગટ્ય દિવસે 51 શક્તિપીઠ માની મુખ્ય અંબાજી શક્તિપીઠે લાખો પદયાત્રીઓ માતાજીના દર્શન માટે સંઘ લઈને આવે છે. આજથી અંબાજીમા ભાદરવીના મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે ભરૂચ, સુરત જિલ્લામાંથી દાહોદ, જાલોદ, સંતરામપુર, ગોધરા, બોડેલી, છોટાઉદેપુર તરફના હજારો ગામોના લાખો ભક્તો સુંદર શણગારેલા કલાત્મક રથ અને ધજાઓ લઈને ગાંધીનગર તેમજ અરવલ્લીના માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, વિસનગર, દાતા, ધનસુરા અને ભિલોડાના માર્ગો ગુંજી રહ્યા છે.

Advertisement

ચાલતા ચાલતા પણ નાચતા કુદતા અને ગરબે ઘૂમતા જગદંબાના સાનિધ્યમાં જવા માટે અનોખી શ્રદ્ધા અને ઉત્સાહ ભક્તોમાં જણાઈ રહ્યો છે. આમ જગદંબાને શિષ જુકાવવા નીકળેલા પદયાત્રીઓથી સાબરકાંઠા જિલ્લાના તમામ માર્ગો ઉભરાયા છે.

મંગળવારના દિવસે વેજલપુર ભરૂચ અંબાજી પદયાત્રા સંઘ દ્વારા માતાજીને આસો નવરાત્રીનું પણ ભાવભર્યું આમંત્રણ આપી માતાજીના શિખર પર ધજા અર્પણ કરી ભરૂચ આવા પરત ફર્યા હતા.


Share

Related posts

માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ૧૪૭૧ લાભાર્થીઓને વન, આદિજાતિ મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજુરીપત્રોનું વિતરણ કરાયું.

ProudOfGujarat

આઝાદીના ૭૧ વર્ષ બાદ પણ ઢોલીજાતિ સમુદાય પોતાના અધિકારોથી વંચિત.

ProudOfGujarat

ગોથાણ રોડ-રંગોળી ચોકડીથી કીમ રોડ પર વચ્ચે આવેલ રેલ્વે ક્રોસિંગ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય થતાં વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જાહેરનામુ બહાર પડાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!