ગત 17 સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાં પાણી છોડવામાં આવ્યા બાદ ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, સોસાયટીઓ અને ગામડાઓ પાણીમાં ગરકાવ થતા લોકોને જાનમાલનું મોટું નુકશાન થયું હતું, જે બાદ આ પૂરની ઘટના માનવ સર્જિત હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા.
દક્ષિણ ગુજરાતના ભરૂચ-નર્મદા અને વડોદરા જિલ્લામાં માનવસર્જિત પૂર આપદાને કારણે લોકોને થયેલ મોટા પાયે નુકશાનનુ યોગ્ય વળતર ચૂકવવા અને ગુનાહિત બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહીની માંગ સાથે પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ રાજ્યપાલને પત્ર લખી રજુઆત કરી હતી.
Advertisement