Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાયેલ પાણી બાદ પૂરની સ્થિતિ મામલે પ્રદેશ કોંગ્રેસની મહામહીમ રાજ્યપાલ સમક્ષ રજુઆત, કાર્યવાહીની કરાઈ માંગ

Share

ગત 17 સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાં પાણી છોડવામાં આવ્યા બાદ ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, સોસાયટીઓ અને ગામડાઓ પાણીમાં ગરકાવ થતા લોકોને જાનમાલનું મોટું નુકશાન થયું હતું, જે બાદ આ પૂરની ઘટના માનવ સર્જિત હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા.

દક્ષિણ ગુજરાતના ભરૂચ-નર્મદા અને વડોદરા જિલ્લામાં માનવસર્જિત પૂર આપદાને કારણે લોકોને થયેલ મોટા પાયે નુકશાનનુ યોગ્ય વળતર ચૂકવવા અને ગુનાહિત બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહીની માંગ સાથે પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ રાજ્યપાલને પત્ર લખી રજુઆત કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનાં કોલેજ રોડ નજીક ઉત્કર્ષ સોસાયટી પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પાસે આવેલ સાંસરોદ નવી નગરી માં મકાન નો સ્લેબ ધરસાઈ થતા અફરાતફરી મચી…એક નું મોત એક ઘાયલ ….

ProudOfGujarat

ભરૂચ : પાનોલી અને હથુરણ રેલ્વે સ્ટેશનની વચ્ચે બાંદ્રા – અમૃતસર એક્સપ્રેસ ટ્રેન હેઠળ એક અજાણ્યા ઇસમે આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!