Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા ના કુરચણ ગામ ખાતે આદિવાસી સમાજ ના લોકોને ગ્રામ પંચાયત તરફથી અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે કલેકટર ને અપાયું આવેદન પત્ર

Share

ભરૂચ જિલ્લા ના કુરચણ ગામ ખાતે આદિવાસી સમાજ ના લોકોને ગ્રામ પંચાયત તરફથી અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે કલેકટર ને અપાયું આવેદન પત્ર

ભરૂચ જિલ્લા ના આમોદ તાલુકાના કુરચણ ગામના આદિવાસી સમાજ ના લોકો આજે હાથમા પ્લે કાર્ડ લઈ સુત્રોચાર સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે આવી પહોંચ્યા હતા,

Advertisement

આદિવાસી સમાજ ના આગેવાનો અને યુવાનોનું જણાવવું છે કે તેઓના ગામ માં ગ્રામ પંચાયત તરફ થી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે, આદિવાસી વિસ્તાર માં રોડ, રસ્તા ગટર જેવા પ્રથામિક સુવિધાઓ મુદ્દે પણ અવાર નવાર રજુઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી,

વધુ માં તેઓએ જણાવ્યું હતું કે સ્મશાન માટેની માંગણી મામલે પણ કોઇ જાતનું ધ્યાન અપાયું નથી તેમજ વિસ્તાર માં આવેલ આંગણવાડી પણ ત્રણ વર્ષ થી તોડી પડાઈ છે તેને પણ ગ્રાન્ટ મંજુર છે છતાં બનાવવામાં આવી રહી નથી, સરકાર ની યોજનાઓ નો લાભ આપવામાં આવતા નથી, સાથે જ ગ્રામ પંચાયત માં આદિવાસી સમાજ ના લોકો કોઇ પણ જાત નું કામ લઈ ને જાયઃ તો તેઓને ધરમ ના ધક્કા ખવડાવવા માં આવે છે તેમજ બીજા સમાજ ના લોકો ના કામો તાત્કાલિક થઈ જતા હોય છે, તેવા આક્ષેપો સાથે આજે આદિવાસી સમાજ ના લોકોએ આવેદન પત્ર પાઠવી કુરચણ ગ્રામ પંચાયત ના વહીવટ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી


Share

Related posts

બુટલેગરોના અવનવા કીમિયા : બુટલેગર જેલમાં હોવા છતાં તેમનો ધંધો કઈ રીતે ચાલે તેના કીમિયા…વાંચો અને સમજો.

ProudOfGujarat

સુરતમાં યુવકે બસ સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, ઘટના CCTV માં કેદ

ProudOfGujarat

ટાઈગર ઝિંદા હૈ એક્ટર સજ્જાદ ડેલાફ્રૂઝ વિશે મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, આ મોટી વાતે અભિનેતાને કર્યો ભાવુક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!