ભરૂચ
કૌશલ્ય વિકાસ અને ઉધોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વ્ર।રા પ્રસ્થાપિત જન શિક્ષણ સંથાન ભરૂચ દ્વ્ર।રા ૧મે ગુજરાત સ્થાપના દિવસ, શ્રમયોગી દિવસ ની ઉજવણી તથા સ્કીલ તાલીમ પ્રાપ્ત કરી સફળ થયેલ તાલીમાર્થીઓના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્ર્મની શરૂઆત તાલીમાર્થી બહેનો દ્વ્ર।રા પ્રાર્થનાથી કરવામા આવી. અને મહાનુભવો દ્વ્રરા દિપ પ્રાગ્ટ્ય બાદ સ્વાગત પ્રવચન આપતા નિયામક ઝેયનુલઆબેદિન સૈયદ ૬૫ માં ગુજરાત સ્થાપના દિવસ અને શ્રમયોગી દિવસ વિષે વિગતો રજુ કરી કૌશલ્ય તાલીમ અંતર્ગત મહાનુભવો દ્વ્ર।રા પ્રમાણપત્રો વિતરણ કરાયા.વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતની દિશામાં કૌશલ્ય તાલીમ પ્રાપ્ત કરનારને સ્વરોજગારી અને આથિઁક ઉપાર્જન થકી પોતાની આથિઁક સ્થિતિ સુધારવા સંબંધી માહિતગાર કર્યા હતા.
અતિથિ વિશેષ પદેથી સાહિત્યકાર અને કવિ તથા બોર્ડ મેમ્બર કરશનભાઈ કે રોહિતે પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
બોર્ડ મેમ્બર ઝુલ્ફિકારઅલી સૈયદે સ્કિલ તાલીમ લીધાનુ રીઝલ્ટ મેળવી આગળ વધવા આહવાન કયુ.અને જણાવ્યુ કે આજે દુનિયામા એજ્યુકેશન કરતા સ્કિલ મહત્વનુ છે. જેના દ્વ્રારા આવકનુ લેવલ સુધારી શકો છો.
મુખ્ય મહેમાન પદેથી સંબોધન કરતા વાઈસ ચેરમેન પ્રિતીબેન દાણી એ જન શિક્ષણ સંસથાન ની કામગીરીને બિરદાવી તેમના દ્વ્ર।રા અપાતી સવિશેષ સ્કિલ તાલીમ અને વિવિધ કાર્યક્રમોની સરાહના કરી સંસ્થા વધુને વધુ ઉધમલક્ષી સ્ત્રોત દ્વ્ર।રા તાલીમાર્થીઓ પોતાની સ્થિતિ સુધારી કુંટુંબને સહાયભૂત બને તેવી અભ્યર્થના સેવી હતી.
અંતે પ્રોગ્રામ ફિલ્ડ અને લાઈવલીહૂડ કો-ઓડિૅનેટર ક્રિષ્ણાબેન કથોલીયાએ હાજર રહેનાર તમામનો હ્દયપૂર્વક આભાર વ્યક્ત કરી કાર્યક્ર્મની સ્માપ્તિ કરી હતી.
