Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચોક્કસ દુકાનમાંથી વસ્તુ ખરીદવા કહેનાર શાળા સંચાલકો સામે કાર્યવાહી થશે

Share

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળા સંચાલકોને તાકિદ કરાઈ

। ભરૂચ ।

Advertisement

નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થવાના આરે છે ત્યારે વાલીઓ તેમના સંતાનોના પુસ્તક, નોટબુક, યુનિફોર્મ સહિતની વસ્તુઓ ખરીદવામાં જોતરાઈ ગયા છે આવા સંજોગોમાં ધણીવાર શાળા સંચાલકો દ્વારા તેમણે નિર્ધારીત કરેલા દુકાનોમાંથી જ સામાન ખરીદી કરવામાં આવે તેવું દબાણ કરવામાં આવતુ હોવાની બુમો ઉઠતી રહે છે જેને લઈને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીએ ખાસ પરિપત્ર બહાર પાડી તમામ શાળાના સંચાલકો તેમજ આચાર્યોને તાકિદ કરી છે કે, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ દુકાનમાંથી પુસ્તક, નોટબુક, સ્કુલબેગ, સ્ટેશનરી સહિતની વસ્તુઓ ખરીદવા પર દબાણ કરી શકાશે નહી. ઉપરાંત શાળાના ગ્રાન્ટેડ શાળા દ્વારા તેમના વિદ્યાર્થીઓ પર અમુક એજન્સી મારફતની જ લેખન સામગ્રી ખરીદવાની કે અમુલ છાપની કે બનાવટની લેખન સામગ્રી ખરીદવાની, તેમજ પાઠયપુસ્તક માન્ય યાદીમાં ન હોય તેવી નોંધો, પ્રશ્નોત્તરી વગેરે ખરીદી કરવાની ફરજ પાડવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


Share

Related posts

સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં નડિયાદના આરોપીને આજીવન કેદની સજા.

ProudOfGujarat

કોરોના સંક્રમણ અટકાવવા તથા બહારથી આવેલા લોકોની માહિતી મેળવવા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રિક્ષા ફેરવવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઇન નાણાકીય છેતરપિંડીના બનાવમાં લાખોની મત્તાનો કેસ શોધી કાઢયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!