Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બિનવારસી મૃતદેહને સ્મશાને લઈ જતી એમ્બ્યુલન્સ સામે પડેલો તાર હટાવવા ગયેલાં યુવાનનું મોત

Share

ભરૂચ શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં બનેલી ઘટના

ભરૂચ

Advertisement

ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી સેવાયજ્ઞ સમિતીની એમ્બ્યુલન્સ એક બિનવારસી મૃતદેશને સ્મશાને લઈ જઈ રહી હતી. તે વેળાં રસ્તામાં જીઈબીનો વીજ તાર પડેલો હોઈ ડ્રાઈવર સાથે ગયેલાં યુવાને તે તાર સાઈડમાં કરવા ગયો હતો. અને બાદમાં અચાનક ઢળી પડયો હતો. તેન સિવિલ હોસ્પિટલમાં લાવતાં તેનું મોત નીપજયું હોવાનું તબીબે જણાવ્યું હતું. બનાવને ભરૂચ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક બિનવારસી મૃતદેહ હોઈ તેની અંતિમક્રિયા માટે તેને સ્મશાને લઈ જવાની હોવાથી સેવા પણ સમિતિની

એમ્બ્યુલન્સના ડ્રાઈવર બાબુભાઈ જાદવ તેમજ તેમની સાથેના અણભાઈ વિશ્વામ તેમની એમ્બ્યુલન્સમાં બિનવારસી મૃતદેહ લઈને સ્મશાને જવા નિકળ્યાં હતાં. દરમિયાનમાં રસ્તામાં એક વીજતાર પડેલો હોઈ ડ્રાઈવર બાબુભાઈએ એમ્બ્યુલન્સ ઉભી રાખી હતી. અરસામાં તેમની સાથેના અસ્વાભાઈએ તે વીજતાર સાઈડમાં કર્યા બાદ અચાનક ત્યાં જ ઢળી પડમાં હતાં. જેથી ડ્રાઈવર બાબુભાઈ જાદવે તુરંત તેને સારવાર માટે ભરૂચ સિવિલમાં લઈ ગયાં હતાં. જ્યાં તબીબે તપાસ કરતાં તેમનું મોત થયું હોવાનું માલુમ પડયું હતું. ઘટનાનીજાણ થતો ભરે એ ડીવિઝન પોલીસ પણ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે પ્રાથમિક તબકો અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચથી મકતમપુર જવાના રોડ પર આવેલ સેફાયર એપાર્ટમેન્ટ નજીક મહિલા અને પુરૂષની ઇજાગ્રસ્ત લાશ મળી આવી જાણો રહસ્યમય ઘટનાની વધુ વિગતો.

ProudOfGujarat

વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળામાં પ્રયોગશાળાનું ઉદ્દઘાટન કરાયું

ProudOfGujarat

ભરૂચમાં ચેક રિટર્ન ની ફરિયાદમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી એસોજી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!