Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્રથમ વરસાદમાં જ ખુલ્યો ભ્રષ્ટાચાર – અંકલેશ્વર વાલિયા બુરહાનપુર -13 પર ભારે ધોવાણ

Share

સંદીપ માંગરોળાની જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ

ભરૂચ.

Advertisement

અંકલેશ્વર-વલિયા-નેત્રંગ રાજય ધોરીમાર્ગ નં. 13 પર પ્રથમ વરસાદે જ માર્ગની હાલત દયનીય બનાવી દીધી છે. શિવાલય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી દ્વારા કરવામાં આવેલ પુનઃનિર્માણ કાર્ય પહેલા વરસાદે જ ઢળી પડ્યું છે. રસ્તા પર પડેલા ખાડા દિલના આકારમાં જોવા મળે છે, પરંતુ જો કોઈ આ ખાડામાં પડી જાય તો સાચા અર્થમાં તેનું દિલ બંધ થઈ શકે છે.

સંદીપ માંગરોલા દ્વારા અગાઉ આ મામલે દર્શાવેલી આશંકા હવે હકીકતમાં ફેરવાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા કામની ખાતરી કે ખરાઈ કરવામાં આવી નથી, પરંતુ કોગ્રેસ દ્વારા તો પહેલેથી જ ચીમકી આપી હતી કે આ કાર્ય ભ્રષ્ટાચારયુક્ત છે. આજની સ્થિતિ એ સાબિત કરે છે કે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતથી પ્રજાના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યાં છે.

અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતા, પ્રશ્ન ઉઠે છે કે રસ્તા પર પડેલા ખાડામાં દુર્ઘટનાગ્રસ્ત થનારા વાહનચાલકોની જવાબદારી કોણ લેશે? શું તંત્ર હવે પણ સૂતેલું રહેશે?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાત્કાલિક માગ કરી છે કે:
• શિવાલય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે
• માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવે
• ભવિષ્યમાં આવી ભ્રષ્ટાચાર યુક્ત કામગીરી ફરીથી ના થાય તે માટે કડક મોનીટરીંગ સિસ્ટમ ઉભી કરવામાં આવે


Share

Related posts

પંચમહાલના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજીત “પોષણ વાટિકા મહાભિયાન-વૃક્ષારોપણ -વર્કશોપ” યોજાયા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ૫ લાખથી વધુ નાગરિકોએ વિશ્વ યોગ દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી…

ProudOfGujarat

ગોધરાની શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મહિલા દિવસની ઉત્સાહપૂર્વક કરાઈ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!