Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્રથમ વરસાદમાં જ ખુલ્યો ભ્રષ્ટાચાર – અંકલેશ્વર વાલિયા બુરહાનપુર -13 પર ભારે ધોવાણ

Share

સંદીપ માંગરોળાની જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ

ભરૂચ.

Advertisement

અંકલેશ્વર-વલિયા-નેત્રંગ રાજય ધોરીમાર્ગ નં. 13 પર પ્રથમ વરસાદે જ માર્ગની હાલત દયનીય બનાવી દીધી છે. શિવાલય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી દ્વારા કરવામાં આવેલ પુનઃનિર્માણ કાર્ય પહેલા વરસાદે જ ઢળી પડ્યું છે. રસ્તા પર પડેલા ખાડા દિલના આકારમાં જોવા મળે છે, પરંતુ જો કોઈ આ ખાડામાં પડી જાય તો સાચા અર્થમાં તેનું દિલ બંધ થઈ શકે છે.

સંદીપ માંગરોલા દ્વારા અગાઉ આ મામલે દર્શાવેલી આશંકા હવે હકીકતમાં ફેરવાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા કામની ખાતરી કે ખરાઈ કરવામાં આવી નથી, પરંતુ કોગ્રેસ દ્વારા તો પહેલેથી જ ચીમકી આપી હતી કે આ કાર્ય ભ્રષ્ટાચારયુક્ત છે. આજની સ્થિતિ એ સાબિત કરે છે કે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતથી પ્રજાના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યાં છે.

અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતા, પ્રશ્ન ઉઠે છે કે રસ્તા પર પડેલા ખાડામાં દુર્ઘટનાગ્રસ્ત થનારા વાહનચાલકોની જવાબદારી કોણ લેશે? શું તંત્ર હવે પણ સૂતેલું રહેશે?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાત્કાલિક માગ કરી છે કે:
• શિવાલય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે
• માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવે
• ભવિષ્યમાં આવી ભ્રષ્ટાચાર યુક્ત કામગીરી ફરીથી ના થાય તે માટે કડક મોનીટરીંગ સિસ્ટમ ઉભી કરવામાં આવે


Share

Related posts

ભરૂચની જુમ્મા મસ્જીદમાં અજમેર બોમ્બ કાંડનો આરોપી મસ્જીદના છત પર ચપ્પલ સાથે પ્રવેશતા વિવાદ

ProudOfGujarat

વડોદરા : વડસર-કોટેશ્વર રોડ ઉપર વિશ્વામિત્રીના પાણી ફરી વળતા રસ્તો બંધ કરાયો.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં માસ્ક પહેર્યા વિના ધંધો કરતા દુકાનદારો તેમજ માસ્ક પહેર્યા વિના ફરતા કુલ 20 લોકોને પોલીસે દંડ ફટકાર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!