Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એસ.ટી વિભાગ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે વધારાની એસ.ટી બસોની સુવિધા.

Share

દિપાવલી પર્વનાં દિવસો દરમિયાન મુસાફરોની અવરજવર વધુ હોય છે ત્યારે આવી અવરજવરને પહોંચી વળવા એસ.ટી વિભાગ દ્વારા વધારાની 500 જેટલી ટ્રીપોની ખાસ સુવિધા કરવામાં આવી રહી છે. શ્રમજીવીઓ અને અન્ય લોકો દીપાવલી પર્વ વતનમાં ઉજવવા જતાં હોય છે તેવા સમયે તેમને અવરજવરની સુવિધા માટે વધારાની બસો મુકવામાં આવી છે. ગત વર્ષ કરતા આ વર્ષે એસ.ટી બસોની સંખ્યા વધુ છે તેનું કારણ એ છે કે કોરોના મહામારી દરમિયાન તેના નિયમોનું પાલન કરવું જરૂરી છે તેથી બસમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ઓછા મુસાફરો મુસાફરી કરતા હોય જેથી વધુ બસોની ખાસ ફાળવણી કરવામાં આવી રહી છે. છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને અન્ય જિલ્લાઓમાં ભરૂચથી એસ.ટી બસની સીધી સેવા પ્રાપ્ત થશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : દિવાળીમાં તેજી રહેશે કે મંદી વેપારીઓ ચિંતામાં ગરકાવ.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : જાણો કેટલા મતદારો કરશે આવતી કાલે પ્રથમ તબક્કામાં મતદાન, અને બીજી સંપૂર્ણ વિગતો.

ProudOfGujarat

અંકલેશ્વર: જીઆઇડીસી ના c પમપિંગ સ્ટેશન ને અમરાવતી નદી ને પ્રદુષિત કરવા બાબતે કસૂરવાર ગણી દન્ડ સહિત 15 દિવસ ની કલોઝર નોટિસ અપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!