ભરૂચ
અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ હાલતને લઈને નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓમાં અનેક ખાડાઓ અને ધોવાણથી વાહનચાલકો તથા પદયાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.નાગરિકોએ ફરિયાદ કરી છે કે નવો રોડ બન્યો હોય કે નવું કાર્પેટિંગ થયું હોય, થોડાક વરસાદમાં જ તે ધોવાઈ જાય છે. આથી પ્રશ્ન ઊભો થાય છે કે રસ્તા નિર્માણમાં કઈક ઘાટ છે કે નહીં? ગુણવત્તાવાળું કામ થાય છે કે માત્ર દેખાડા પૂરતું?છેવટે, આ બિસ્માર હાલત સામે નાગરિકો અનેક વખત સ્થાનિક તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. લોકોનો કહેવું છે કે શું તંત્ર કોઇ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે?
Advertisement
