Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેરમાં બિસ્માર રસ્તાઓથી નાગરિકો ત્રસ્ત: વારંવાર રજૂઆત છતાં કોઈ નિકાલ નહીં

Share

ભરૂચ

 અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ હાલતને લઈને નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓમાં અનેક ખાડાઓ અને ધોવાણથી વાહનચાલકો તથા પદયાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.નાગરિકોએ ફરિયાદ કરી છે કે નવો રોડ બન્યો હોય કે નવું કાર્પેટિંગ થયું હોય, થોડાક વરસાદમાં જ તે ધોવાઈ જાય છે. આથી પ્રશ્ન ઊભો થાય છે કે રસ્તા નિર્માણમાં કઈક ઘાટ છે કે નહીં? ગુણવત્તાવાળું કામ થાય છે કે માત્ર દેખાડા પૂરતું?છેવટે, આ બિસ્માર હાલત સામે નાગરિકો અનેક વખત સ્થાનિક તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. લોકોનો કહેવું છે કે શું તંત્ર કોઇ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે?

Advertisement

Share

Related posts

ટોક્યો પેરાલિમ્પિક : ભારતને બીજો ગોલ્ડ મેડલ મળ્યો : ભાલા ફેંકમાં સુમિત અંતિલએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ProudOfGujarat

પત્નીના ભરણપોષણની રકમ ન ચુકવતા પતિને નવ માસની જેલની સજા.

ProudOfGujarat

ટીમ નર્મદા દ્વારા બદલી પામેલ જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલને SOU ટેન્ટસીટી ખાતે અપાયુ ભાવસભર ભવ્ય વિદાયમાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!