પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે માહિતી આપવામાં આવી
ભરૂચ
પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે જનજાગૃતિ ફેલાવવા ભરૂચ ખાતે પીએફ વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ પરિષદ સહાયક ભવિષ્ય નિધિ આયોગની પ્રાંતીય કચેરી – બ્લૂ ચીપ કોમ્પ્લેક્સ, સેવાશ્રમ રોડ ખાતે યોજાઈ હતી.
ક્ષેત્રીય આયુક્ત શ્રી ધનવંતસિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે શરૂ કરેલી આ યોજનાનો મુખ્ય હેતુ દેશમાં રોજગારની તકો વધારવાનો છે. યોજના હેઠળ નવા કર્મચારીઓને નોકરી પર રાખતા નીઓતાઓને પીએફ યોગદાન માટે કેન્દ્ર સરકાર તરફથી સહાય મળે છે, જેના કારણે રોજગારદાતાઓ માટે નોકરી આપવી સરળ બને છે.
અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું કે પત્રકારો દ્વારા યોજનાની વિગતો વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે એ ઉદ્દેશ છે, કારણ કે પત્રકારો સમાજ અને સરકાર વચ્ચે પુલરૂપ કાર્ય કરે છે. અંતે અધિકારીએ પત્રકારોને યોજનાના લીફલેટ અને માહિતીપત્રો પણ વિતરણ કર્યા અને નીઓતાઓ તથા યુવાનોને યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી .
