અંકલેશ્વર
અંકલેશ્વર શહેરમાં ખોજા શિયા જમાત દ્વારા કરબલાના મહાન શહીદોની યાદમાં શોકસભર જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાન ઇમામ હુસેન અ.સ. તથા તેમના સાથીઓએ કરબલાની ધરતી પર આપેલો બલિદાન સમગ્ર માનવજાત માટે અડગ આસ્થા, સત્ય અને ન્યાયનું પ્રતિક છે. દર વર્ષે મોહરમ માસ દરમિયાન વિશ્વભરમાં શિયા સમાજ દ્વારા આ શહાદતને યાદ કરવામાં આવે છે.
અંકલેશ્વરમાં પણ ખોજા શિયા જમાતના આગેવાનોના નેતૃત્વમાં સમાજ જનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. કાળા વસ્ત્રોમાં, શોકસભર માહોલ વચ્ચે નૌહા-મર્સિયા અને માતમ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
જુલૂસ દરમિયાન નાનાથી લઈને વૃદ્ધ સુધીના સમાજજનોએ ભાગ લીધો હતો. “હુસેનિયત ઝિંદાબાદ” ના નારા સાથે કરબલાની બલિદાન ગાથા યાદ કરવામાં આવી. સાથો સાથ 15 મી ઓગષ્ટ સ્વતંત્ર દિવસ હોવાથી આપણા દેશના શહીદોને પણ યાદ કરી હિન્દુસ્તાન ઝિંદાબાદ ના નારા લગાવી દેશ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
આ પ્રસંગે જમાતના આગેવાનો દ્વારા જણાવાયું કે કરબલાનો સંદેશ માત્ર શિયા સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે છે. અનીયાય સામે લડવાની હિંમત, સત્યની સાથે રહેવાની પ્રેરણા અને માનવતા માટે ત્યાગ કરવાની ભાવના કરબલાની શહીદીમાંથી મળે છે.
જુલૂસ દરમિયાન અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં લોકો ઉભા રહી આ શ્રદ્ધાંજલિ સભર જુલૂસને નિહાળતા જોવા મળ્યા હતા.
અંતે સમૂહિક દુઆઓ સાથે શહીદોને યાદ કરીને જુલૂસનું સમાપન કરવામાં આવ્યું હતું.
