અંકલેશ્વર
વાલિયા તાલુકામાં અવાવરું જગ્યા પર હેઝાર્ડ વેસ્ટ (અપાયોજનક કચરો) ખાલી કરવાના મામલા અગાઉ પણ સામે આવ્યા છે. હવે, ફરી એકવાર વટારીયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ રીતે હેઝાર્ડ વેસ્ટ નિકાલ કરવામાં આવ્યો હોવાની માહિતી મળતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક ખેડૂતો અને સભાસદોએ જ્યારે આ અંગે શંકા વ્યક્ત કરી અને ગંભીરતા દેખાડી, ત્યારે તેમણે ગુજરાત પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) ખાતે જાણ કરી હતી. મળેલી જાણકારીના આધારે GPCBની ટીમ તરત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થળ પરની પરિસ્થિતિની તપાસ શરૂ કરી હતી. ટીમે કેમિકલ જેવી શકયતા ધરાવતા સફેદ રંગના વેસ્ટના નમૂનાઓ એકત્ર કરી, તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈ ખેડૂત સમાજમાં ભય અને ઉદ્વેગનો માહોલ સર્જાયો છે. હાલના પરિસ્થિતિમાં ખેડૂતો તેમની જમીન અને પાકને નુકસાન થવાની શક્યતા રહે છે.
Advertisement
