ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા સ્વર્ગીય અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી,હેમેન્દ્ર કોઠીવાળા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ અહેમદ પટેલના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા.અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું, જેના કારણે આજે પણ તેઓને રાજકીય જગતમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે.
Advertisement
