Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આગામી ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન.

Share

ભરૂચ જિલ્લાની જનતા માટે આ લોક અદાલતના માધ્યમથી પોતાના કેસોમાં ઝડપી નિરાકરણ લાવવાની સુવર્ણ તક

ભરૂચ

Advertisement

ભરૂચ જિલ્લામાં ૧૩ સપ્ટેમ્બર૨૦૨૫ના રોજ નેશનલ લોક અદાલત યોજાશે. જીલ્લા ન્યાયાલયભરૂચ અને જીલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં આ લોક અદાલત યોજાશે. પક્ષકારોએ તેમના સમાઘાનપાત્ર કેસો કોર્ટમાં રજુ કરવા માટે જાતે અથવા તેમના વકીલ મારફતે સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો પડશે. આ લોક અદાલતનો હેતુ કેસોનો ઝડપી નિકાલ કરવાનો છે. લોકોના સમય અને ખર્ચની બચત થાય તે માટે આ લોક અદાલત યોજાશે. આ લોક અદાલત નામદાર રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળન્યુ-દિલ્હી અને નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળગુજરાત હાઈકોર્ટઅમદાવાદની સુચના તેમજ અધ્યક્ષજિલ્લા કાનુની સેવા સત્તા મંડળભરૂચના માર્ગદર્શન હેઠળ યોજાનાર છે.

   જિલ્લા કાનુની સેવા સત્તા મંડળભરૂચના સચીવશ્રી પી. પી. મોકાશીએ જણાવ્યું કેઆ લો અદાલતમાં નાગરીકો લગ્નવિષયક કેસોચેક બાઉન્સના કેસોસીવીલ દાવાજમીન સંપાદનઅકસ્માત વળતર દાવામજુર તકરારના કેસોવીજળી સંબંધિત કેસો સહિત સમાધાન લાયક કેસો રજુ કરી શકશે. પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલત સમક્ષ મુકામ સંબંધિત કોર્ટ અથવા જિલ્લા કાનુની સેવા સત્તા સત્તા મંડળજિલ્લા ન્યાયાલય સંકુલભરૂચ તેમજ તાલુકા કક્ષાએ તાલુકા કોર્ટોમાં કાર્યરત તાલુકા કાનુની સેવા સમિતિઓનો સંપર્ક કરવો. જિલ્લા કાનુની સેવા સત્તા મંડળભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું.


Share

Related posts

અંકલેશ્વર GIDC પોલીસનો વાહનચોરી રેકેટનો ભંડાફોડ: પાંચ ચોરાયેલ મોટરસાયકલ સાથે ત્રણ આરોપી ઝડપાયા, ગેરેજ માલિક પણ સકંજામાં

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પોલીસ અને સામાજિક સંસ્થાઓ લોકોને ભોજન કરાવીને તેમને તેમના વતન મોકલવા માટે તમામ પ્રયાસો કરી રહી છે ડંડા મારતી આ પોલીસનું સ્વરૂપ જોઈને ભરૂચ જિલ્લાના લોકો પણ તેમની આ સેવાને સલામ કરી રહ્યા છે.

ProudOfGujarat

અમદાવાદ જીલ્લાના વિરમગામમાં સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત મેલેરીયા અંગે પપેટ શો દ્વારા જનજાગૃતિ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!