બિસ્માર માર્ગ અને ખાડોને પગલે અંકલેશ્વરના વિવિધ માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી કરી છે.જેને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.અને સમય સાથે ઇંધણનો પણ બગાડ થઈ રહ્યો છે.ત્યારે આજરોજ અંકલેશ્વર મહાવીર ટર્નિંગથી સ્ટેશન સુધી ખરાબ રસ્તામાં કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી.જેને લઈ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. રોજેરોજ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરતા વાહનચાલકો રોષે જોવા મળ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છેકે તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.
Advertisement
