ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ, ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભુસ્તરશાસ્ત્રીશ્રી ભરૂચની સુચનાથી ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આજરોજ વહેલી સવારે ઝગડિયા તાલુકાના વાઘપુરા રોડ, ભરૂચ ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૫ વાહનો ટ્રક નંબર- (૧) GJ-06-AU-1108 (૨) GJ-03-AZ-1174 (૩) GJ-16-X-8015 (૪) GJ-09-Z-5250 (૫) GJ-06-AT-2413 ને સીઝ કરી કુલ- ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઇઝી બિલ્ડકોન સ્ટોક, વાઘપુરા રોડ, ખાતે રાખવામાં આવેલ છે. જે અંગેની નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Advertisement
