Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં તાઉતે વાવાઝોડાની નહિવત અસર : કોઈ જાનમાલને નુકશાની નહીં.

Share

જામનગરમાં ગઇકાલે ભારે સુસવાટા સાથે પવન ફૂંકાયો હતો. ત્યારે જામનગર સહિતના આસપાસના વિસ્તારોમાં તાઉતે વાવાઝોડાની અસર નહિવત જોવા મળી છે તેમજ પવનની ગતિમાં વધારા સાથે જિલ્લા મથકોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.

જામનગરમાં તાઉતે વાવાઝોડાને લઈને તંત્ર સતત એલર્ટ રહ્યું હતું. જામનગરના સાંસદ સભ્ય, મેયર, ધારાસભ્યો સહિત નાઓ કંટ્રોલ રૂમ ખાતે આખી રાત ઉપસ્થિત રહ્યા હતા. કલેકટર અને સાંસદ દ્વારા રાત્રિના સમયે બેઠક યોજી દરિયાકાંઠાની સમીક્ષા કરવામાં આવી હતી અને નીચાણવાળા વિસ્તારોમાંથી 10 હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેડૂતોને દરિયો ના ખેડવાની આગાહી કરવામાં આવી હતી. તો જિલ્લાના તમામ સિંચાઇ યોજનાના ડેમ, જળાશયો, ચેકડેમ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

Advertisement

અહીં નોંધનીય છે કે તાઉતે વાવાઝોડાની જામનગર તેમજ આસપાસના વિસ્તારોમાં અસર નહિવત થશે તેવું હવામાન ખાતા દ્વારા જણાવાયું હતું.


Share

Related posts

શહેરા : વન વિભાગે પાસ પરમીટ વગર લઈ જવાતા લાકડાનો જથ્થો પકડી પાડયો.

ProudOfGujarat

જન શિક્ષણ સસ્થાન ભરૂચ ખાતે ગુજરાત સ્થાપના દિવસ, રાષ્ટીય શ્રમયોગી દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યના વડપણ હેઠળની સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, વેલી ઓફ ફલાવર્સ, રિવર રાફટીંગ વગેરેની લીધેલી મુલાકાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!