Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

​શ્રી પરશુરામ સંગઠન દ્વારા ગૌ- ગોબરમાંથી બનેલ શ્રીજીની ઈકો-ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન…

Share

આ વર્ષે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભરૂચની સરદાર પટેલ સોસાયટી ખાતે ગણેશજીની ઈકો-ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું, પર્યાવરણને અનુકૂળ ગણેશ ચતુર્થી ઉજવવાની પહેલના ભાગરૂપે આ પ્રતિમા ગાયના છાણ ગૌ-ગોબરમાંથી બનાવવામાં આવી છે,તાજેતરના વર્ષોમાં, માટીની પ્રતિમાઓ સાથે ગૌ-ગોબરની પ્રતિમાઓનું ચલણ પણ વધ્યું છે, ભરૂચ શહેરમાં જ આ વર્ષે ૧૦૦થી વધુ સ્થળોએ આવી ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે,

​આ સ્થાપના કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો, પત્રકારો અને અન્ય મિત્ર મંડળોએ પૂજા, અર્ચના અને આરતી કરીને ગણેશજીના આશીર્વાદ લીધા હતા,આ સમગ્ર કાર્યક્રમ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, ભરૂચ શહેરના પ્રમુખ હેમંતભાઈ શુક્લ અને બ્રહ્મ અગ્રણી રાજુભાઈ દેસાઈ સહિતનાઓ સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો,

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે એક પલ્સર ગાડી તથા ૮ જેટલા મોબાઇલ સાથે એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 ને અડીને આવેલા ભંગારનાં ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી.

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ છવાયો કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!