ભરૂચ.
અંક્લેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી સર્વે નંબર 188, 189/1, 189/2 તેમજ સર્વે નંબર 189/3વાળી જગ્યામા ગેરકાયદે રીતે બિનઅધિકૃત બાંધકામ કાર્ય કરવામાં આવ્યું છે.જેના પગલે જીઆઇડીસી વિભાગમાં તે બાબતે ફરિયાદ પણ થઇ હતી. જેના પગલે અંક્લેશ્વર જીઇઆડીસીના નાયબ કાર્યપાલક ઇજેનર દ્વારા મામલાની સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમા તેમને માલુમ પડ્યું હતું કે, નીગમની જમીનમા બિનઅધિકૃત રીતે બાંધકામ કરી દબાણ કરાવામાંં આવ્યું છે.જેથી અંક્લેશ્વર જીઆઇડીસીના નાયબ કાર્યપાલ ઇજનેરે તેમને 15 દિવસમાં અસલ પુરાવા સાથે તેમની કચેરીએ ઉપસ્થિત રહેવા તાકીદ કરી છે. ઉપરાંત જો, તેઓ 15 દિવસમાં જરૂરી પુરાવા એકત્ર કરી કચેરીમાં રજૂ ન કહીં કરે તો તે બિનઅધિકૃત દબાણ હોવાથી તેનેતાત્કાલિક ધોરણે દૂર કરવું .જો તેમ નહીં કરે તો ગુજરાત ઔધ્યોગિક વિકાસ અધિનિયમ હેઠળ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમ અંક્લેશ્વર જીઆઇડીસીના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે.
અંક્લેશ્વર જીઆઇડીસીમાં બિનઅધિકૃત બાંધકામનું દબાણ દૂર કરવા નોટિસ
Advertisement
