Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર-સુરત હાઈવે પર જળબંબાકાર નર્મદા નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા, વાહન વ્યવહાર ઠપ્પ

Share

અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીની જળસપાટી ભયજનક સ્તરે પહોંચતા શહેરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો છે લોકોને પોતાના રોજિંદા કામકાજ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા વાહનો પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે. જોકે, નાના વાહનચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છેઅંકલેશ્વર-સુરતને જોડતો સ્ટેટ હાઈવે હાલ નદી જેવો દેખાઈ રહ્યો છે. કેટલાક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. નોકરી અને ધંધા પર જતા લોકો રસ્તામાં અટવાયા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ માં હાહાકાર મચાવનાર ટ્રિપલ મર્ડર નો મામલો…!!જાણો વધુ……

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં અમીછાંટણા–વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન

ProudOfGujarat

આમોદ કાંકરિયા ધર્માતરણ કેસમાં વધુ 4 આરોપીની અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!