Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત વકફ બોર્ડ દ્વારા બાવાગોર દરગાહ ટ્રસ્ટમાં વહિવટદારની નિમણૂક કરી ટ્રસ્ટ દ્વારા વકફ બોર્ડ ટ્રિબ્યુનલમાં અપીલ કરવામાં આવી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ ૮૦૦ વર્ષ જુની અને પ્રસિદ્ધ હઝરત બાવાગોરની દરગાહના વહિવટ માટે દરગાહ ટ્રસ્ટ કાર્યરત છે.તાજેતરમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા ટ્રસ્ટીઓને તા.૧૫-૧૦ ના રોજ નોટિસ આપી જણાવેલ કે વકફ બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવતા આ સ્થળે ડેવલોપમેન્ટ કરવાનું જરુરી લ‍ાગ્યુ.અને બોર્ડ ની તા.૨૧-૯ ની બેઠક માં થયેલ ઠરાવ મુજબ સંસ્થામાં વકફ બોર્ડ ના અધિકારી ની કારોબારી અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ હોવાનું જણાવાયું હતુ.વધુમાં આ અંગે ટ્રસ્ટ વહિવટકર્તા નો ટેલિફોનીક સંપર્ક કરતા જાણવા મળ્યું કે ટ્રસ્ટીઓ દ્વારા આ અંગે વકફ બોર્ડ ટ્રિબ્યુનલ માં અપીલ કરવામાં આવી છે.દરમિયાન વકફ બોર્ડ દ્વારા તા.૨૭ નવેમ્બર ના રોજ દરગાહની દાન પેટીઓ વકફ બોર્ડ ની હાજરી વિના ન ખુલી શકે તે માટે સીલ મારી દેવામાં આવ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસે “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત કુલ ₹3.92 લાખનો મુદ્દામાલ પીડિતોને પરત કર્યો

ProudOfGujarat

ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જતા ભોલાવના મહિલાનો મોબાઈલ ચોરી થયો

ProudOfGujarat

સ્પેનની આર્મીવુમને વલસાડમાં મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!