Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ફરીથી લીંક બસ સેવા શરૂ

Share

ભરૂચ.

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ફરીથી લીંક બસ સેવા શરૂ કરવામાં આવી છે. શુક્રવારે સવારે 10 વાગ્યે એમ.કે. કોલેજ ખાતેથી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સેવા હેઠળ ભરૂચ-અંકલેશ્વર રૂટ પર દરરોજ કુલ 16 ટ્રીપ બસો દોડશે, જેમાં પ્રથમ ટ્રીપ સવારે 7.15 વાગ્યે ઉપડશે. બસો અંકલેશ્વર, ભડકોદ્રા, માંડવા, ભોલાવ અને અંકલેશ્વર જીઆઇડીસી જેવા વિસ્તારોને આવરી લેશે.અંકલેશ્વર જીઆઇડીસીમાં રોજ હજારો કામદારો નોકરી માટે આવતા હોવાથી આ સેવા તેમના માટે આર્શીવાદરૂપ સાબિત થશે. ભાડાની વાત કરીએ તો ભોલાવ ડેપોથી ભડકોદ્રા સુધી તથા અંકલેશ્વર જીઆઇડીસી ડેપો સુધીનું ભાડું 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.બસો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાને કારણે મુસાફરોનો સમય બચશે. અગાઉ શરૂ કરાયેલી આ સેવા બંધ થઇ ગઇ હતી, પરંતુ હવે તેને ફરીથી શરૂ કરવામાં આવી છે. આ વખતે રૂટને ભડકોદ્રા સુધી લંબાવવામાં આવતા મુસાફરોને અંકલેશ્વર જીઆઇડીસી પહોંચવામાં વધારે સરળતા રહેશે.

Advertisement

Share

Related posts

વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન કોંગ્રેસનો હોબાળો, 17 સભ્યોએ કર્યું વૉકઆઉટ

ProudOfGujarat

ભરૂચનાં સેવાશ્રમ રોડ પર આવેલા સ્ટેચ્યુ પાર્ક નજીક અકસ્માત થયો.

ProudOfGujarat

ભરૂચ માં હિન્દુ ધર્મ ના ગ્રંથોનું ખોટું અર્થઘટન કરી ધાર્મિક શાંતિ ડહોળતા શખ્સની અટકાયત કરતી રૂરલ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!