Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ.અહમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ.

ભરૂચના સ્ટેશન રોડ સ્થિત ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે ભરૂચના પનોતા પુત્ર અને વરિષ્ઠ નેતા સ્વ.અહમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કાયકરો અને આગેવાનોએ સ્વ.અહમદ પટેલના રાજકીય જીવન, સરળ સ્વાભાવ અને લોકકલ્યાણના અભિગમને યાદ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્વ.અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના પિતાના દેશ અને રાજયની રાજનિતીમાં આપેલા નિષ્ઠાભર્યા અને અવિરત યોગદાન અંગે વાત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પમુખ સલીમ અમદાવાદી સહિતના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તથા તાબાની કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું.

ProudOfGujarat

મોઢેરાનું સૂર્યમંદિર પણ હવે સોલાર ઉર્જાથી રાઉન્ડ ધ ક્લોક ઝગમગતું દેખાશે

ProudOfGujarat

ભરૂચમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત: કસકમાં દિવાલ ધરાશાયી, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર  :  એસડીએમ અને નગરપાલિકાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી; વરસાદ બંધ થતાં પાણી ઓસરતા લોકોએ રાહત અનુભવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!