લારી-ગલ્લાનું ગંદુ પાણી જાહેરમાં ઠાલવી ગંદકી કરાતી હતી
ભરૂચ
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળે ચેકિંગ શરૂ કરાઈ છે, જેમાં વિવિધ ફુડકોર્ટ સહિતના સ્થળોની સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત જેને વિસ્તારમાં જો કોઈ દુકાનદાર તેનું ગંદુ પાણી જાહેરમાં ફેંકતાં હોય કે અન્ય પ્રકારની બંદકી કરતાં હોય તેમને સ્થળ પર જ દંડ ફટકારવાની તેમજ નોટીસ આપવાની કાર્યવાહી ચાલું કરવામાં આવી છે. દરમિયાનમાં ભરૂચ નગરપાલિકાની એક ટીમ શહેરના શક્તિનાથ ફુડકોર્ટ વિસ્તારમાં અચાનક ચેકિંગ હાથ થયું હતું, જેમાં સાંજના સમયે એક દુકાન સંચાલકે તેની દુકાનમાંનું ગંદુ પાણી રોડની સાઈડમાં મેદાનમાં ફેંકયું હતું. જેના પગલે ત્યાં ગંદા પાણીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. જોકે, ત્યાં જાણે નિયમીત પાણી ફેંકવામાં આવતું હોય તેવી ગંદકી જણાઈ હતી. જેના પગલે ગુરુવારે સવારે ભરૂચ પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ તેમજ તેમની ટીમ શક્તીનાથ ફુડકોર્ટ વિસ્તારમાં ધસી ગયાં હતાં. ત્યાં સ્થળ તપાસ કરી ગંદા પાણીના ખાબોચિયાને માટી નાંખી પુરાણ કરી દેવામાં આવ્યાં હતાં. બીજી તરફ વિસ્તારમાં એક-બે ખુણામાં અતિષય ગંદકી હોઈ ત્યાં તમામ પ્રકારનો કચરો ફેકવામાંઆવતો હોવાનું જણાતાં તેની પણ સાફસફાઈ કરવામાં આવી હતી. જે બાદ તમામ વિસ્તારમાં દવા છંટકાવ કરવામાં આવ્યો હતો. ઉપરાંત દરેક વેપારીઓને ફુટકોર્ટ વિસ્તારમાં સ્વચ્છતા રાખવા માટે તાકીદ કરવામાં આવી હતી. તેમજ ગઈકાલે ગંદુ પાણી ફેંકનાર વેપારીને નોટીસ ફટકારવામાં આવીહતી. આગામી દિવસોમાં ગંદકી કરનારાઓ પાસેથી ભારે દંડ વસુલવામાં આવશે તેમ પાલિકાતંત્રએ જણાવ્યું હતું.
