Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરમાં મહાશિવરાત્રિ નિમિત્તે શિવમંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

Share

ભાવનગર શહેર અને જિલ્લામાં આવતીકાલે મહાશિવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, આ અવસરને અનુલક્ષીને તમામ પ્રાચીન-અર્વાચીન શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તો દર્શનાથે ઉમટી પડશે, અને શિવાલયોમાં હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠશે.

આ પ્રસંગે શિવ મંદિરોમાં ચાર પ્રહરની મહાઆરતી, પૂજન, અર્ચન, જળાભિષેક, લઘુરુદ્ર, શિવજીની ઉપાસના અર્થે ભજન, કીર્તન, શોભાયાત્રા, પાલખીયાત્રા, સત્સંગ, સતવાણી અને લોકડાયરો સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ સાથે શહેરના તખ્તેશ્વર મહાદેવ મંદિર, થાપનાથ મહાદેવ મંદિર બોરતળાવ, સિહોરમાં નવનાથ, માળનાથ તથા નિષ્કલંક સહિતના અનેક નાના-મોટા શિવાલયોમાં મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

મોપેડ મોટરસાયકલ સાથે શકમંદ હાલતમાં એક ઇસમને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

લીંબડીમાં શિક્ષકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થતાં કાળી પટ્ટી ધારણ કરી કર્યો વિરોધ.

ProudOfGujarat

સ્ટેપ અહેડ પોઝીટીવ મિડીયા અને અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબની રાષ્ટ્ર હિતમાં મતદાનની અપીલ.ભારતના સાંસ્કૃતિક ગૌરવની પુનઃ પ્રતિષ્ઠા માટે રાષ્ટ્ર હિતમાં અવશ્ય મતદાન કરવું જ જોઈએ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!