Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરમાં મહાશિવરાત્રિ નિમિત્તે શિવમંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

Share

ભાવનગર શહેર અને જિલ્લામાં આવતીકાલે મહાશિવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, આ અવસરને અનુલક્ષીને તમામ પ્રાચીન-અર્વાચીન શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તો દર્શનાથે ઉમટી પડશે, અને શિવાલયોમાં હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠશે.

આ પ્રસંગે શિવ મંદિરોમાં ચાર પ્રહરની મહાઆરતી, પૂજન, અર્ચન, જળાભિષેક, લઘુરુદ્ર, શિવજીની ઉપાસના અર્થે ભજન, કીર્તન, શોભાયાત્રા, પાલખીયાત્રા, સત્સંગ, સતવાણી અને લોકડાયરો સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ સાથે શહેરના તખ્તેશ્વર મહાદેવ મંદિર, થાપનાથ મહાદેવ મંદિર બોરતળાવ, સિહોરમાં નવનાથ, માળનાથ તથા નિષ્કલંક સહિતના અનેક નાના-મોટા શિવાલયોમાં મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત છોટાઉદેપુર પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા શેરી નાટકનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

KYC કરવાના બહાને વૃદ્ધના બેન્ક ખાતામાંથી 6.91 લાખની ઓનલાઇન ઠગાઇ

ProudOfGujarat

ગાંધીનગર : કેબિનેટ બેઠકમાં શેત્રુંજય પર્વત વિવાદ, ચેકડેમના સમારકામ અને શિક્ષણ મુદ્દે થઈ આ ચર્ચા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!