Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુરની આંગણવાડીઓમાં પોષણ સુધા યોજનાનો પ્રારંભ કરાયો.

Share

18 જૂને ગુજરાત પ્રવાસે આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારની “પોષણ સુધા યોજના” ને વધુ વિસ્તારોમાં વિસ્તારવાનો અભિગમ અપનાવ્યો. આ યોજનાનો ઉદ્દેશ્ય સગર્ભા સ્ત્રીઓને પોષણના લાભો આપવાનો છે. આ યોજના પ્રાયોગિક ધોરણે 2017-18 માં શરૂ કરવામાં આવી હતી. આંગણવાડીઓમાં નોંધાયેલ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ યોજના હેઠળ આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ અને એક સમયના ભોજન સાથે આરોગ્ય પોષણ શિક્ષણ આપવામાં આવે છે. પહેલા ફકત કવાંટ તાલુકામાં જ કાર્યરત પોષણ સુધા યોજના હવે ધીરે ધીરે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં શરૂ થઈ રહી છે. આજથી છોટાઉદેપુર નગરની આંગણવાડીઓમાં યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રેહાન પટેલ, છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

“મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનના ભાગરૂપે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ.

ProudOfGujarat

આજે વર્લ્ડ હેરિટેજ ડે : માત્ર ઈમારતો જ હેરિટેજ નથી હોતી, ઝાડ પણ હેરિટેજ હોય છે !

ProudOfGujarat

ભરૂચ : પૂર ઝડપે વાહનો હંકારતા ઈસમો સામે નબીપુર પોલીસની તવાઈ, અનેક વાહન ચાલકો સામે કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!