Proud of Gujarat
FeaturedGujaratINDIA

તળાવમાં મચ્છી ચોરવાની શંકાએ પરપ્રાંતીય ઇસમની હત્યાને અંજામ આપનાર બે ઇસમોને દહેજ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડયા.

Share

ભરૂચ જિલ્લામાં સામાન્ય બાબતોને લઈ હત્યા જેવા બનાવો વર્ષ દરમિયાન સામે આવતા રહ્યા છે, તેવામાં દહેજ પંથકમાં પણ એક ઘટના સામે આવી હતી. દહેજ નજીક આવેલ નરણાવી ગામે સીમમાં આવેલ મચ્છી તળાવ પાસે એક પરપ્રાંતીય અજાણ્યો ઈસમ બેસેલ હોય જેને જોઈ આરોપીઓએ દોડી જઈ તે મચ્છી ચોરવા આવેલ હોવાની શંકાએ ત્યાંથી આ ઇસમને જતા રહેવા માટે કહ્યું હતું, જે બાદ ઉશેકરાયેલ ઇસમે ઝડપાયેલ આરોપીને માં-બેન સમાનની ગાળ આપી હતી, અને પાવડા કુહાડી જેવા મારક હત્યારો વડે હુમલો કરતા પરપ્રાંતીય ઇસમનું મોત નીપજ્યું હતુ.

ઘટના મામલે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા, ત્યારબાદ પોલીસે તપાસ દરમિયાન બે જેટલા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરતા બંને ઈસમોએ મામલે ગુનાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં દહેજ પોલીસે મામલે સંડોવણી ધરાવનાર (૧) પ્રવીણ ભાઈ ઉર્ફે લાલો ભીખાભાઈ વસાવા તેમજ (૨) કરણભાઈ રમેશભાઈ વસાવા નાઓની ધરપકડ કરી ઝડપાયેલ બન્ને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ રામતલાવડી નહેર પાસે કેમીકલયુક્ત તાડી વેચાણ કરતી મહિલા ઝડપાઇ

ProudOfGujarat

રાજ્યમાં મૌસમ નો કુલ કેટલો થયો વરસાદ કયા ભાગ માં રહ્યો મેઘતાંડવઃ તો ક્યાંક મહેરબાન.-જાણો વધુ

ProudOfGujarat

વિસાવદર : 108 ના સ્ટાફની સરાહનીય કામગીરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!