Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કુંડા ધામેણા સિંચાઈ તળાવ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ.

Share

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કુંડા ધામેણા સિંચાઈ તળાવ ખાતે જળ સમૃદ્ધ રાજ્ય બનાવવાની સંકલ્પબદ્ધતા રૂપે સુજલામ સુફલામ જળ અભિયાન-2022 ના શુભારંભ વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા, અને દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોરના વરદહસ્તે કરવામાં આવ્યો હતો.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કુંડા ધામેણા સિંચાઈ તળાવ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો સાથે ઝાલોદ ખાતે બારીયા વન વિભાગના નાયબ વન સંરક્ષક આર એમ પરમાર અધ્યક્ષ સ્થાને વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા, અને દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોરના વરદહસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ ઉપરાંત જળ સંગ્રહના કામો જેવા કે તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમોનું ડિસિલટીગ તથા રિપેરિંગ, નહેરોની સાફ સફાઈ રેઈનવોટર હારવેસ્ટીગ, વન તલાવડી રીપેરીંગ, ખેત તલાવડી તળાવ ઊંડા કરવા નદી કાંઠે વૃક્ષારોપણ વગેરે જેવા કામો હાથ ધરાશે. આ ઉપરાંત નદી-નાળાની સફાઇ અને તેને પુનઃજીવિત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી, નેહાકુમારી તથા બારીયા વન વિભાગના નાયબ વન સંરક્ષક આર એમ પરમાર, જિલ્લાના અધિકારી પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

કોરોના વાયરસની દહેશત વચ્ચે પશુપાલન નિયામકની ગાંધીનગર કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે મરઘી કે ઈંડાનું સેવન સલામત છે.

ProudOfGujarat

રાજપીપલા : આજની સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી બપોરે ૧૨-૦૦ કલાકે ૧૩૮.૨૬ મીટરે નોંધાઇ

ProudOfGujarat

ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદારને રૂ. 47,500 ની લાંચ લેતા ACB એ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!