Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા ચાર રસ્તા પર જાહેર શૌચાલય અને સ્નાનગૃહનું ઉદઘાટન કરાયું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ચાર રસ્તા ખાતે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત અને પાર્થ વેલ્ફેર એસોસીએશનના સંયુક્ત પ્રયાસોથી આજરોજ જાહેર પે એન્ડ યુઝ શૌચાલય અને સ્નાનગૃહ આમ નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

ઝઘડિયા તાલુકો ટ્રાન્સપોર્ટ હબ મનાય છે અને તેના કારણે ઘણા પ્રવાસી મુસાફરોની અવરજવર રહેતી હોય છે, ઉપરાંત સરદાર પ્રતિમાને જોડતો ધોરીમાર્ગ ઝઘડિયા માંથી પસાર થતો હોવાથી ઝઘડિયા ચાર રસ્તા ખાતે પે એન્ડ યુઝ શૌચાલયની તાતી જરૂરિયાત હતી. ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત અને પાર્થ વેલ્ફેર એસોસિયેશનના સહિયારા પ્રયાસથી આજરોજ જાહેર શૌચાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ સુરેશભાઈ વસાવા, પાર્થ વેલ્ફેરના અધિકારીઓ તેમજ ગામ આગેવાનો વિજયસિંહ ચાવડા, નરેન્દ્રસિંહ પરમાર, દિલીપભાઈ પટેલ, કરણસિંહ પરમાર તેમજ નરેશભાઈ વાળંદ ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રમઝાન માસ દરમિયાન જ ભરૂચના ઘુસવાડમાં પાણી સંકટ : ત્રણ દિવસથી પાણી બંધ, પાલિકાએ ટેન્કરથી પૂરવઠો પુરો પાડ્યો

ProudOfGujarat

અંકલેશ્વરના સજોદ ગામમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સાયખા સાઈટની જમીન સરેન્ડર કરવાનો મુદ્દો ગરમાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!