Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર જિલ્લાનાં માણસામાં ઉમિયા માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, દાનપેટીમાંથી રોકડની ચોરી કરી ફરાર

Share

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી દાનપેટીમાંથી રૂ.10થી 15 હજારની રોકડની ચોરી કરી ફરાર થયા હતા. આ મામલે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, માણસા નજીક રીદ્રોલ રોડ પર આવેલ શ્રી 41 ગામ પાટીદાર ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન સમાજવાડીમાં સ્થિત ઉમિયા માતાજીના મંદિરમાં શનિવારે રાતે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને દાનપેટીમાંથી રૂ.10 થી 15 હજારની રોકડની ચોરી કરી હતી. જોકે, અન્ય કોઇ કિંમતી વસ્તુ ન મળતા તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે મંદિરમાં પૂજા કરતા ગજાનંદભાઈ ત્યાં આવ્યા તો ચોરી અંગેની જાણ થઈ હતી.

Advertisement

આ મામલે સમાજ વાડીના કેમ્પસ ડાયરેક્ટર માધવલાલ પટેલે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ અજાણ્યા ઇસમો સામે ચોરી સહિતનો ગુનો નોંધી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી માણસા પંથકમાં તસ્કરોનો આતંક વધ્યો છે. ત્યારે પોલીસ દ્વારા તેમણે જલદી પકડવામાં આવે તેવી માગ ઊઠી છે.


Share

Related posts

ભરૂચ : નેત્રંગ તાલુકાનાં આજોલી ગામે નવી વસાહત વિસ્તારમાં ધર આંગણે બાંધેલ પાડી ઉપર દીપડાનો હુમલો. 

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં ચાસવાડ નજીક ટ્રક અને બોલેરો જીપ વચ્ચે અકસ્માતમાં 2 લોકોના કમકમાટીભર્યા મોત, અન્ય એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા ચોકડીથી વેપારીનું અપહરણ કરી ૧૫ લાખ ઉપરાંતની લૂંટને અંજામ અપાયો, હવામાં ફાયરીંગ કરી લૂંટારું બોલ્યો જોયું કેવો ધમાકો થાય છે..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!