Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરના વકીલની હત્યા પગલે ગોધરાના વકીલો કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો.

Share

વિજયસિંહ સોંલકી ગોધરા,

પંચમહાલ જીલ્લાના વડા મથક ગોધરા ખાતે જામનગરના વકીલની ઘાતકી હત્યાના પગલે આજે કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરના જાણીતા વકીલ કિરીટજોષીની છરીના ઘા મારી કમકમાટી ભરી હત્યા શખ્શો દ્વારા કરી નાખી હતી.ત્યારે તેના પગલે ગુજરાતભરના વકિલોમાં ભારે રોષ મચી જવા પામ્યો હતો. પંચમહાલ જીલ્લામા વકીલાત કરતા વકીલોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.આવી ઘટનાને તેમને સખત શબ્દોમા વખોડી કાઢી હતી અને આવી ઘટનાઓ ના બનવી જોઈએ તેવો સુર વ્યક્ત કર્યો હતો. પંચમહાલ જીલ્લા વકીલ આલમમા પણ તેનો ભારે વિરોધ નોધાવ્યો હતો.આજે વકીલાતની કામગીરીથી અળગા રહીને વકીલની હત્યાનો વિરોધ નોંધાવ્યો હતો.આવા બનાવોની સામે તાત્કાલિકયોગ્ય પગલા ભરવાની માંગ કરવામા આવી હતી.

Advertisement

Share

Related posts

દહેગામ થી કુકરવાડા જવાના રસ્તા પરથી વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ ગ્રામ્ય પોલીસ

ProudOfGujarat

અમરેલી અને સાવરકૂંડલામાં સિંહણ અને દીપડાએ બે બાળકોનો શિકાર કર્યો

ProudOfGujarat

ભરૂચ: ઝઘડિયા તાલુકાના દઢેરા ગામે એક અજાણી યુવતીનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!