Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : કોરોનાનાં બે દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે દાખલ કરવામાં આવેલા કોરોનાના બે દર્દીઓ આજે સારા થઇ જતા રજા આપવામાં આવી હતી.કુલ જીલ્લામાં ૨૩ જેટલા કેસો નોંધાયા છે.જેમાંથી બેના મોત થયા હતા. પંચમહાલમાં કોરોના પોઝીટીવ રહેલા દર્દીઓને રજા આપવામા આવી હતી. રેખાબેન તાવિયાડ અને હસન ઝુબેર નામના બે દર્દીઓ કોરોના વાયરસના રોગને મ્હાત આપી હતી. સિવિલ ખાતે ઊભા કરવામા આવેલા આ આઇસોલેશન વોર્ડ ખાતે તેમની સારવાર કરવામાં આવી હતી અને તેઓ સ્વસ્થ થયા હતા,સિવિલ ખાતે તેમને તાળી પાડીને વિદાય આપવામાં આવી હતી.વધુમાં હાલ ૨૩ જેટલા કેસો નોંધાયા છે.તેમાંથી બેના મોત થયા છે.હાલ કોરોનાનો ચેપ વધુના પ્રસરે તે માટે જીલ્લા વહિવટી તંત્ર, પોલીસ કામગીરી કરી રહી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

બિલાડી પગે જળ ઘટ્યા, પુર સંકટમાં રાહત-નર્મદા નદીની જળ સપાટીમાં થયો ઘટાડો.

ProudOfGujarat

મહેસાણાના લીંચ ગામે કબૂતરબાજીના કિસ્સામાં એક યુવક છેતરાયો અમેરિકા જવાની લ્હાયમાં રૂપિયા 45 લાખ ગુમાવ્યા

ProudOfGujarat

માંગરોળ કોસંબા માર્ગ પર કનવાડા ગામ પાસે ભેંસ સાથે ભટકાયેલા બાઈક ચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!