Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : કોરોનાનાં બે દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે દાખલ કરવામાં આવેલા કોરોનાના બે દર્દીઓ આજે સારા થઇ જતા રજા આપવામાં આવી હતી.કુલ જીલ્લામાં ૨૩ જેટલા કેસો નોંધાયા છે.જેમાંથી બેના મોત થયા હતા. પંચમહાલમાં કોરોના પોઝીટીવ રહેલા દર્દીઓને રજા આપવામા આવી હતી. રેખાબેન તાવિયાડ અને હસન ઝુબેર નામના બે દર્દીઓ કોરોના વાયરસના રોગને મ્હાત આપી હતી. સિવિલ ખાતે ઊભા કરવામા આવેલા આ આઇસોલેશન વોર્ડ ખાતે તેમની સારવાર કરવામાં આવી હતી અને તેઓ સ્વસ્થ થયા હતા,સિવિલ ખાતે તેમને તાળી પાડીને વિદાય આપવામાં આવી હતી.વધુમાં હાલ ૨૩ જેટલા કેસો નોંધાયા છે.તેમાંથી બેના મોત થયા છે.હાલ કોરોનાનો ચેપ વધુના પ્રસરે તે માટે જીલ્લા વહિવટી તંત્ર, પોલીસ કામગીરી કરી રહી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન સંદર્ભે ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ProudOfGujarat

લીંબડી સેવા સદન ખાતે કોરોના વાઇરસનાં સંક્રમણ માટેની સરકારની ગાઈડ લાઇન તેમજ લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સ કડક અમલ થાય તે માટે વેપારીઓ સાથે સર્વાનુમતે બેઠક યોજાઈ.

ProudOfGujarat

વડોદરામાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!