Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : વાવાઝોડામાં અકસ્માત પામેલા લાભાર્થીના પરિવારજનોને આર્થિક સહાયનો ચેક MLA સી.કે.રાઉલજી દ્વારા અર્પણ કરવામાં આવ્યો.

Share

ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીના હસ્તે તાઉતે વાવાઝોડાથી અકસ્માતે મરણ પામેલા લાભાર્થીના પરિવારને રૂપિયા ચાર લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બખ્ખર ગામે હાલમા આવેલા તાઉતે વાવાઝોડાને કારણે ઝાડ પડવાથી મહિલા રહીશ કંચનબેન મોહનસિંહ બારીયાનું અકસ્માતે મોત થતા પરિવારજનો આઘાત પામ્યા હતા.

ગોધરાના ધારાસભ્ય દ્વારા સી.કે.રાઉલજી દ્વારા રાજ્ય સરકારમાં લાભાર્થીને સત્વરે સહાય ચૂકવવા ભલામણ કરી હતી.આખરે રજુઆતને ધ્યાને લઈને લાભાર્થીના કુટુંબીજનોને રૂપિયા 4,00,000 લાખની રકમની સહાય મંજુર કરી આપવામા આવી હતી.સહાયનો ધારાસભ્ય સી.કે.રાઉલજીના વરદહસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.જેમા અરવિંદસિંહ પરમાર, દંડક જિલ્લા પંચાયત, પંચમહાલ,તાલુકા વિકાસ અધિકારી, ગોધરા, તાલુકા પંચાયતના સદસ્ય, સરપંચ અને ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અજીત અરોરાની ફિલ્મ “ઉનડ” નાં પ્રીમિયર નાઇટમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ અને દિગ્દર્શકો તરફથી ખૂબ જ પ્રતિસાદ મળ્યો.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

ProudOfGujarat

વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયા ધામ નજીકની અજંતા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઈડરી, ટીએફઓ અને લુમ્સના ખાતામાં આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!