જીવદયા પાંજરાપોળ ટ્રસ્ટ, ગોધરા દ્વારા સંચાલિત પ્રભાબેન કાનજીભાઈ શેઠ જીવદયાધામ- પરવડી ખાતેની વર્ષો જૂના પડતર પ્રશ્નની રજૂઆત
જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિની ગોપાલસિંહ સોલંકી કરવામાં આવી હતી, જેથી જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિની ગોપાલસિંહ સોલંકીએ પરવડી ખાતે આવેલ જીવદયાધામ માટે અંગત રસ દાખવી તાત્કાલીક ધોરણે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી જેથી જીવદયા ટ્રસ્ટ અને જૈન સમાજવતી ગોધરા પાંજરાપોળ ટ્રસ્ટના પ્રમુખ જયંતીલાલ કાનજીભાઈ શેઠ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિની ગોપાલસિંહ સોલંકીને સ્મૃતિચિન્હ અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
Advertisement