Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : ચલાલી-વેજલપુર રોડની બિસ્માર હાલતથી સ્થાનિક લોકોમાં રોષ, નવીનીકરણની માંગ

Share

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામેથી ચલાલી ગામ તરફ જતો બિસ્માર બની જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેટલુ જ નહી પણ ગ્રામજનો દ્વારા પણ આ રોડનુ નવીનીકરણ કરવામા આવે તેવી માંગ કરવામા આવી રહી છે.

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુરથી ચલાલી ગામ સુધી જોડાતા માર્ગ પર મસમોટા ખાડા પડી જતા રાહદારીઓ, વાહનચાલકો, ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે. રસ્તામાં ખાડા પડી જવાને કારણે અકસ્માતોના પણ બનાવો બન્યા છે. વધુમા ગામમા ૧૦૮ સેવાની જરૂરિયાત પડે ત્યારે પણ તેને આવતા વાર લાગે છે. ગ્રામજનોની માંગ છે કે જો આ રસ્તો નહી બનાવામા આવે તો અમે ઉચ્ચકક્ષાએ રજુઆત કરીશું તેમ ગામ લોકોએ જણાવ્યુ હતું. જવાબદાર તંત્રએ પણ આ મામલે ત્વરીત રોડની કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા કક્ષાનો ૭૨ મો વન મહોત્સવ યોજાશે.

ProudOfGujarat

પાલેજ-વલણ ગામ વચ્ચેના રોડનું કામ પૂર્ણતાનાં આરે, વાહનચાલકોમાં ખુશીની લહેર…

ProudOfGujarat

પીજીઆઈએમ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટે પોર્ટફોલિયો મેનેજર તરીકે સુરજીત સિંહ અરોરાની નિમણૂક કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!