Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા માં સમસ્ત મારવાડી સમાજ દ્વારા બાબા રામદેવ પીર ની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

Share

રાજુ સોલંકી ગોધરા :-

Advertisement

ગોધરા :-
ગોધરા માં સમસ્ત મારવાડી સમાજ ના આગેવાનો તેમજ નવયુવાનો દ્વારા બાબા રામદેવ પીર ની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મારવાડી સમાજ દ્વારા બહારપુરા સ્મશાન રોડ ખાતે આવેલ બાબા રામદેવ પીર ના મંદિર પાસેથી ધજા લઈ ગોધરા ના મુખ્ય રાજમાર્ગો ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી બાબા રામદેવ પીર ની જન્મ જયંતિ નિમિત્તે સમસ્ત મારવાડી સમાજ ના 500થી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા શોભાયાત્રા બાદ મારવાડી સમાજ દ્વારા બાબા રામદેવ પીર ના મંદિરે ભંડાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેથી પ્રસાદી નો લ્હાવો લેવા માટે ગોધરા નગરજનો ને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે
બાબા રામદેવ પીર ની શોભાયાત્રા નું સુચારુ આયોજન મારવાડી સમાજ ના વડીલ આગેવાન માનસિંહ ભાઇ ગણેશભાઈ પઢીયાર છગનભાઈ ચમનાજી પારંગી જગાજી પુનમજી બેહરાજી કેળાજી મોતીજી શાંતિલાલ સુરાજી મનરૂપજી લક્ષ્મણ રાવતાંજી મારવાડી મનોજભાઇ મારવાડી દ્વારા કરવામાં આવ્યું હતું


Share

Related posts

ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, સીથાણ સંલગ્ન પ્રાથમિક શાળાઓ દ્વારા ઉજવાયો અનોખો પ્રવેશોત્સવ

ProudOfGujarat

ભરૂચ : તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડનું રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે ઉદ્ધાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચ – નર્મદા નદીમાં ન્હાવા પડેલ યુવાનનું મોત, ઝઘડિયાનાં નાના વાસણા ગામ ખાતેની ઘટના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!