Proud of Gujarat
INDIAFeaturedGujarat

પી.એમના કાર્યક્રમના બીજા દિવસે સુરત અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરની કરાઇ બદલી.

Share

વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનરની બદલીઓ કરવામાં આવી છે. બંછાનિધી પાનીની સુરતથી વડોદરા બદલી કરવામાં આવી છે. જ્યારે શાલિની અગ્રવાલને સુરત મનપા કમિશનર બનાવાયા છે. વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોર્પોરેશનમાં પણ મોટાપાયે બદલીઓ જોવા મળી રહી છે. ત્યારે મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતના મનપા શહેરોમાં આ બદલીઓ કરવામાં આવી છે.

સુરતમાં મ્યુનિસિપલ કમિનશનર તરીકે બંછાનિધી પાની ફરજ બજાવતા હતા ત્યારે વડોદરામાં મનપા કમિશનર તરીકે તેમની બદલી કરવામાં આવી છે. શાલિની અગ્રવાલને સુરતના કમિશનર તરીકે નિમણૂક પામ્યા છે.

Advertisement

બંછાનિધી પાનીની જો વાત કરવામાં આવે તો તેમણે સુરતની અંદર વિવિધ પ્રકારની કામગિરી કોરોનાથી લઈને અન્ય પ્રોજેક્ટ દરમિયાન કામગિરી કરી હતી. કોરોના મહામારી ઉપરાંત સ્વચ્છતા, રસીકરણ સહીતના મોટા પ્રોજેક્ટને લગતા કામો પણ કમિશનર દ્વારા કરવામાં આવ્યા હતા. અંદાજિત ત્રણચ વર્ષ સુધી તેઓ સુરત કમિશન તરીકે ફરજ બજાવી હતી. ત્યારે હવે તેઓ વડોદરામાં કમિશનર તરીકે ફરજ બજાવશે.

વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આ પ્રકારે બદલીઓ વિવિધ સેક્ટરમાં જોવા મળી રહ્યો છે. જ્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સુરત મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ તરીકે ફરજ બજાવશે. આમ સામ સામે બદલીઓ કરવામાં આવી છે. તેની વિગતો જાણવા મળી હતી.


Share

Related posts

ભરૂચ : દાંડીયા બજાર નર્મદા નદીના પટમાં વિદેશી શરાબનું વેચાણ કરતો બુટલેગર હજારોના મુદ્દામાલ સાથે ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વધુ 10 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ 171 લોકો કોરોનાથી સંક્રમિત થયા જ્યારે બે લોકોના મોત થતા જિલ્લામાં કુલ 8 લોકોના મોત થયા હોવાની વિગતો બહાર આવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!