Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતના દરિયાકિનારે ‘બિપરજોય’ ટકરાશે નહીં, હવામાન વિભાગે કરી આગાહી

Share

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે તેવી વાતનો હાલ પૂરતો અંત આવી ગયો છે. આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતના કિનારે વાવાઝોડું ટકરાશે નહીં, એટલે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું અટકી ગયું છે. પાંચ દિવસ બાદ નક્કી થશે કે, વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે કે અન્ય તરફ ફંટાયું છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બીપરજોય ગમે ત્યારે મહારાષ્ટ્ર કે ગુજરાતના દરિયાકાંઠે આવશે તેવી અટકળો થઈ રહી હતી. વાવાઝોડાની તિવ્રતા વધારે હોવાથી ઘણી જગ્યાએ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. આ બધાની સાથે સુરક્ષા તંત્ર અને સરકાર પણ વ્યવસ્થામાં ગોઠવાઈ ગઈ હતી. તાજેતરમાં મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી આવ વાવાઝોડું ગુજરાતના તટે આવે તેવી શક્યતા ન હોવાનું અનુમાન કર્યું છે. જેથી પાંચ દિવસ સુધી ગુજરાતના દરિયામાં વાવાઝોડું ન આવે તેવી સ્થિતિ સર્જાઇ છે, હજી વાવાઝોડું છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી.

Advertisement

Share

Related posts

સુરતનાં સલાબાદપુરા વિસ્તારમાં એક મોબાઇલ શોપમાંથી તસ્કરોએ મોટો હાથફેરો કર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.

ProudOfGujarat

મનીષનંદ સોસાયટી વિસ્તારમાં અછોડા તોડની ઘટના બનતા લોકોમાં ભય વ્યાપ્યો…

ProudOfGujarat

અમદાવાદમાં બી.આર.ટી.એસ બસ કોરીડોરમાં અનધિકૃત રીતે પ્રવેશતા વાહનો સામે ઝુંબેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!