Proud of Gujarat
FeaturedGujaratINDIA

DGP એ ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયા માટે આચારસંહીતા બનાવી, વર્દી પહેરી રીલ્સ નહીં બનાવી શકાય

Share

સોશિયલ મીડિયામાં પોલીસ કર્મીઓ ચાલું ડ્યુટીએ કે વર્દી પહેરી રીલ્સ નહીં બનાવી શકે. સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ કરશે તો પણ પગલા લેવાશે. ગુજરાતના ડીજીપીએ આ મામલે એક પરીપત્ર જારી કરીને આચારસંહીતા બનાવી છે. જેનું ઉલ્લઘન હવેથી નહીં કરી શકાય.

પોલીસની વર્દીમાં કે પોલીસ સ્ટેશનની અંદર કેટલાક પોલીસ કર્મીઓ રીલ્સ બનાવતા હતા. ત્યારે આ મામલે ડ્યુટી પર રીલ્સ બનાવી વાયરલ કરનાર સામે કાર્યવાહી પણ વીડિયો વાયરલ થતા ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

DGP વિકાસ સહાયે પરીપત્ર જારી કર્યો છે અને આ પરીપત્રમાં ઉલ્લેખ કરાયો છે. ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયા માટે આચાર સંહીતાને લગતી બાબતો ટાંકવામાં આવી છે. પોલીસ કર્મી સોશિયલ મીડિયા દૂરઉપયોગ કરશે તો પગલા લેવાશે. વર્દીમાં રીલ્સ બનાવવી, આ સિવાય સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ, ફરજ પર જતા ફરજ સિવાયની રીલ્સ બનાવીને નહીં મુકી શકાય. પોલીસની છબી કલંકીત કરશે તો પણ પગલા લેવાશે આમ વગેરે બાબતોને લઈને તેમને પરીપત્ર જારી કર્યો છે. અગાઉ પણ આ મામલે સલાહ સૂચન આપવામાં આવી હતી છતાં કેટલાક કર્મીઓ ઉલ્લંઘન કરતા હોવાનું સામે આવ્યું હતું.


Share

Related posts

કોલુ ગામની સીમમાં આંબાના ઝાડ ઉપર બે બેહનોના મૃતદેહ ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યા.જાણો કેમ? ક્યાં? અને કેવી રીતે ?

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની નગરપાલિકાના અને પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂરી થવાની તૈયારી…હવે દરેક સ્થાને વહીવટદાર નિમાશેે…???

ProudOfGujarat

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને બોગસ પત્ર લખ્યો જાણો શું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!