Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાત પ્રદેશના અગ્રણી કાર્યકર્તા હાર્દિક પટેલે અમર શહીદ ભગતસિંહ, વીર પુત્રોના સમાધિ સ્થળને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વિકસિત કરવા મોદી સરકારને કરી લેખિત માંગણી.

Share

ભારતના ઐતિહાસિક સ્વતંત્ર્ય સંગ્રામના આંદોલનમાં અમર શહીદ પામેલા ભગત સિંહ, વીર રાજગુરુ અને સુખદેવના દેશ પ્રત્યેના બલિદાનને મોટા અને નાના બદલો દરેક વ્યક્તિ જાણે છે. તે સમયમાં ગુકરત પ્રદેશ કોમગ્રેસ સમિતિના અગ્રણી હાર્દિક પટેલ 2 દિવસ અગાઉ ભગતસિંહના વતન ખટકળકલા અને પાકિસ્તાન પંજાબ બોર્ડર પર સ્થિત હુસૈનવાળા ગામમાં ભગત સિંહ, વીર રાજગુરુ અને સુખદેવના સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા અને તે સ્થળ કોઈ તીર્થસ્થળથી ઓછું નથી તેવું જણાવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા કમાણીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય કેટલાય સ્થળોને વિકસિત કરવામાં આવી રહ્યા છે પરંતુ ભારત માટે બલિદાન આપનાર વીર જવાનોને હાલ સુધી ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા નથી જેથી આ ક્યાંનો ન્યાય ? ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

જેને પગલે ગુજરાત કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તા હાર્દિક પટેલે મોદી સરકારને વિનંમ્રતાથી વિનંતી કરી હતી કે ભારત સરકાર ભગત સિંહ, વીર રાજગુરુ અને સુખદેવને ભારત રત્નથી સન્માનિત કરે અને વીરપુત્રોની સમાધિ સ્થળને તીર્થ સ્થળમાં નિર્માણ કરે જેમ સરકાર દ્વારા ગુજરાતનાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સરદાર પટેલની યાદગીરી સ્વરૂપે નિર્માણ કરવામાં આવ્યું હતું તે જ઼ રીતે હુસૈનવાળા જગ્યા માટે પણ ગ્રાન્ટ ફાળવે તેવી રજુઆત પત્ર દ્વારા કરવામાં આવી હતી. જો મોદી સરકાર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો હાર્દિક પટેલ પોતાના પ્રયત્નો સદંતર ચાલુ રાખશે અને લેખિત રજુઆતો કરશે.


Share

Related posts

LPG સિલિન્ડરમાં 25 રૂપિયાનો વધારો : CNGના ભાવ વધવાની સંભાવના

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે “આઝાદીનો અમૃત મહોત્સવ – હર ઘર તિરંગા” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

ભરૂચ : બામલ્લા ગામમાં ઝાડ પર લટકતી લાશમાં આખરે પોલીસને કેમ હત્યાનો ગુનો દાખલ કરવો પડયો ? શું છે આ સમગ્ર બનાવ ? જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!