Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાલોલ : યાત્રાધામ પાવાગઢ ભાવિકોનાં દર્શનાથે ખુલ્લુ મુકવામાં આવ્યું.

Share

કોરોનાની મહામારી વચ્ચે દેશભરના યાત્રાધામો બંધ કરી દેવામા આવ્યા હતા.ત્યારે ગુજરાતના પંચમહાલ જીલ્લામા આવેલુ પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ પણ બંધ કરી દેવામા આવ્યુ હતું .ત્યારે આજે ત્રણ મહિનાના સમય બાદ અનલોકમાં ખોલવામા આવ્યુ છે. પ્રથમ દિવસે વરસાદી માહોલ વચ્ચે ભક્તોની નહિવત ચહલ પહલ જોવા મળી હતી. તેમજ વેપારીઓ પણ પોતાના ધંધા રોજગાર શરૂ કરી શક્યા નહોતા.ગાઈડ લાઈન અનુસાર જેમાં સૅનેટાઇઝર, મોઢા પર માસ્ક ફરજિયાત તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિતના નિયમો સાથે આજથી મંદિર ભક્તો માટે શરૂ કરી દેવાયું છે.જયારે એક તરફ કોરોના માટેની સાવચેતી માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં પ્રસાદ નાળિયેર કે ચૂંદડી જેવી સામગ્રી લઈ જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાતા અહીંના સ્થાનિક વેપારીઓને માટે લોકડાઉનની અસર હજુ ચાલુ જ રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે યાત્રાધામમાં જે કોઈ વેપારીઓ છે તે પ્રસાદ, શ્રીફળ, ચૂંદડીના જ હોવાથી વેપારીઓને પોતાના ધંધાને ચાલુ કરવા હજુ રાહ જોવી પડશે.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકા પંચાયત કચેરીના મીટીંગ હોલ ખાતે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો તાલુકાકક્ષાનો વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ: જૈન સોશ્યલ ગૃપ ઇન્ટરનેશનલ ફેડરેશનનાં પ્રેસીડેન્ટ એ અનસુયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં કાપોદરા ગામમાં મસ્જિદ મદ્રસા ટ્રસ્ટનાં કર્તાધર્તાઓએ જમીનો વેચી નાંખી કરોડો રૂપિયાનો વહીવટ કરી નાંખવાની ફરિયાદ બાદ વકફ બોર્ડ દ્વારા રિસીવરની નિમણૂક કરવામાં આવતા મિલકતોની તપાસ શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!