Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચંદ્રયાન-3 લક્ષ્યની નજીક, ચંદ્રની ચોથી કક્ષામાં પ્રવેશ્યું, 177 કિ.મી. જ દૂર

Share

ઈસરોએ ચંદ્રયાન-3 ને ચંદ્રની ચોથી કક્ષામાં પહોંચાડી દીધું છે. હવે ચંદ્રયાન લગભગ 150 કિમી x 177 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. ઈસરોએ 14 ઓગસ્ટની સવારે લગભગ પોણા બાર વાગ્યે ચંદ્રયાન-3ના થ્રસ્ટર્સ ચાલુ કર્યા હતા. લગભગ 18 મિનિટ સુધી એન્જિન ચાલુ કરાયા હતા.

5 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની પ્રથમ કક્ષામાં પહોંચ્યું હતું. જે બાદ તેની ભ્રમણકક્ષા બે વખત બદલવામાં આવી હતી. આ દિવસે જ ચંદ્રયાને ચંદ્રની પ્રથમ તસવીરો મોકલી હતી. તે સમયે ચંદ્રયાન 164 x 18074 કિમીની લંબગોળ ભ્રમણકક્ષામાં 1900 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે ચંદ્રની આસપાસ ફરતું હતું. જે 6 ઓગસ્ટ 2023 ના રોજ ઘટાડીને 170 x 4313 કિમી ભ્રમણકક્ષા કરવામાં આવી હતી. એટલે કે તેને ચંદ્રની બીજી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું.

Advertisement

આ પછી, 9 ઓગસ્ટના રોજ, ત્રીજી વખત ભ્રમણકક્ષા બદલવામાં આવી. પછી તે ચંદ્રની સપાટીથી 174 કિમી x 1437 કિમીની ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું હતું. ISRO ચંદ્રયાન-3ના એન્જિનને ચંદ્રની ભ્રમણકક્ષામાં રેટ્રોફાયરિંગ કરાવી રહ્યું છે. એટલે ઝડપ ધીમી કરવા માટે વાહનને વિરુદ્ધ દિશામાં ચલાવાઈ રહ્યું છે. આ પછી, 16 ઓગસ્ટના રોજ સવારે 8:38 થી 8:39 વચ્ચે પાંચમી કક્ષા બદલવામાં આવશે. એટલે કે તેના એન્જિનને માત્ર એક મિનિટ માટે ચાલુ રખાશે.

17 ઓગસ્ટે ચંદ્રયાન-3 ના પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થઈ જશે. તે જ દિવસે, બંને મોડ્યુલ ચંદ્રની આસપાસ 100 કિમી x 100 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં હશે. લેન્ડર મોડ્યુલનું ડીઓર્બીટીંગ 18 ઓગસ્ટના રોજ સાંજે 4.45 થી 4.00 વાગ્યાની વચ્ચે થશે. એટલે કે તેની ભ્રમણકક્ષાની ઊંચાઈ ઓછી થઈ જશે. 20 ઓગસ્ટે ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ સવારે 2.45 કલાકે ડી-ઓર્બિટ કરશે. 23 ઓગસ્ટે લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. જો બધું બરાબર રહેશે, તો લેન્ડર લગભગ સાડા છ વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે. બેંગલુરુમાં ISROના સેન્ટર ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC)ના મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX) પરથી ચંદ્રયાન-3ના સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ચંદ્રયાન-3ના તમામ સાધનો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.


Share

Related posts

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને કિસાન પરીવહન યોજનાનો લાભ લેવા માટે ખેડુતો તા. ૧૫ મી ઓગષ્ટ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર 8 લાખ કયુસેક પાણી છોડાશે જેથી નર્મદા નદીની સપાટી વધશે.

ProudOfGujarat

વડોદરા શહેરમાં હત્યામાં પકડાયેલાં આરોપીઓએ કહ્યું ‘અમે દાદા નથી, ગાય છીએ’…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!