Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભારતમાં તેજીથી વધી રહ્યા છે કોરોનાના કેસો, ચોથી લહેરની આશંકા વધી.

Share

ભારતમાં છેલ્લા એક મહિનાથી કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો છે જો કે તેમાં છેલ્લા એક અઠવાડિયાથી તેજી પકડી છે અને કેસોમાં ખુબ જ વધારો જોવા મળ્યો છે. ગઈકાલે કોરોનાના સંક્રમિત કેસોની સંખ્યા 1 લાખ સુધી પહોંચવા જઈ રહી છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસો ખુબ જ ઝડપથી વધી રહ્યા છે.

કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવતું નથી અને લોકો તકેદારી રાખતા નથી તેથી કેસો સતત વધી રહ્યા છે. જો આમને આમ ચાલતું રહ્યું તો કોરોનાની ચોથી લહેર શરૂ થતા વાર નહીં લાગે.

Advertisement

દેશમાં વધતા આંકડા દર્શાવી રહ્યા છે કે કોરોના કેટલો વધી રહ્યો છે. ગુજરાત સરકર દ્વારા બસ, એરપોર્ટ અને રેલવે સ્ટેશનમાં ટેસ્ટિંગની શરૂઆત કરી છે જો કે શહેરમાં લોકો માસ્ક પહેરતા નથી અને નિયમનનું પાલન કરવામાં આવતું નથી જેથી લોકો ઝડપથી સંક્રમિત થાય છે.

ગુજરાતમાં એક તરફ ચોમાસની ઋતુંની શરૂઆત થઇ ગઈ છે તેવામાં રોગચાળો વકરવાની આશંકા છે જેને લીધે કોરોનાના કેસો પણ વધી શકે છે. તંત્ર દ્વારા માસ્ક અને સેઇટાઇઝર ફરિજયાત કરશે નહીં તો આ કેસનો આંકડો ખુબ મોટો થઇ શકે છે. ગુજરાતમાં લોકોએ તકેદારી રાખવી પડશે જેથી ઓછા લોકો સંક્રમિત થશે અને કોરોના કેસો નહિવત રહે.


Share

Related posts

ખેડાના હરીયાળા ગામ ખાતે IOCL ના ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

ભરૂચનાં કોવિડ સ્મશાનમાં મૃતદેહ યથાવત રહેતા ચિંતાજનક સ્થિતિ, 24 કલાકમાં 42 થી વધુ લોકોને અગ્નિદાહ કરાયા..!!

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા ડેમ અને કરજણ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા ખેડૂતોને ઉભા પાકોમાં નુકસાન થતા છોટાઉદેપુર સંસદ ગીતાબેન રાઠવાએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!