Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાના ગામડાઓમાંથી પસાર થતી વી.ઇ.સી.એલ. કંપની કેનાલ ઓવરફ્લો થતાં ખેતીની જમીન અને પાકને નુકસાન થતાં ખેડૂતો દ્વારા નુકસાની વળતર આપવાની માંગ કરી.

Share

જંબુસર તાલુકાનાં ગામડાઓમાંથી પસાર થતી વી.ઇ.સી.એલ. કંપની કેનાલ ઓવરફ્લો થતાં ખેતીની જમીન અને પાકને નુકસાન થતાં ઉબેર, વલીપુર, નોંધણા, સામોજ અને સારોદના ખેડૂતો દ્વારા પ્રાંતઅધિકારીને આવેદન આપી નુકસાનીના વળતર આપવાની માંગ કરી.
વી.ઇ.સી.એલ. કંપની દ્વારા નંદેસરીના ઉધોગોનું કેમિકલવાળું પાણી જંબુસર તાલુકાનાં ઉબેર, વલીપુર, નોંધણા, સામોજ, સારોદ ગામો પાસેથી પસાર થાય છે. વી.ઇ.સી.એલ.ની ઇન્ફ્લુએંટ ચેનલનું આયુષ્ય પૂરું થાય ગયેલ છે. સરકાર દ્વારા પાઇપલાઇન નાંખવા મોટી રકમની સબસિડી આપવામાં આવેલ છતાં વડેચ પોઈન્ટ સુધી જ પાઇપલાઇન નાંખેલ છે તથા સારોદ, સામોજ વિસ્તારમાં કેનાલ જર્જરિત થઈ ગયેલ છે તથા જી.પી.સી.બી. ના રિપોર્ટ મુજબ આ પર્યાવરણ અને વિસ્તારના લોકો માટે જોખમી છે. આ ઉપરાંત સુપ્રીમના આદેશનો ભંગ થાય છે અને એ.ન.જી.ટી. ના આદેશનો પણ અમલ થતો નથી. વડોદરા નંદેસરી આસપાસના ઉધોગોનું કેમિકલયુક્ત દૂષિત અને ઝેરી પાણી ઇન્ફલુએંટ પ્લાન્ટના નિયમ પ્રમાણે શુદ્ધ કર્યા વગર છેલ્લા 36 વર્ષથી ઉધોગોનું કેમિકલયુક્ત ઝેરી પાણી શુદ્ધ કર્યા વગર જ મહિસાગરમાં છોડી દેવામાં આવે છે. સામોજ-સારોદ વિસ્તારમાં કેનાલ જર્જરિત થઈ ગયેલ છે તથા કેમિકલવાળું ઝેરી, ગંદુ પાણી વી.ઇ.સી.એલ કંપની કેનાલ ઓવરફ્લો થતાં જંબુસર તાલુકાનાં ઉબેર, વલીપુર, નોંધણા, સામોજ અને સારોદની ખેતીની જમીનમાં કેમિકલયુક્ત પાણી ફરી વળતાં પાક તેમજ ફળદ્રુપ જમીનને પારાવાર નુકસાન થયું હોય ધરતીપુત્રોમાં રોષની લાગણી જન્મી છે. જેને લઇ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોને થયેલ આર્થિક નુકસાનનું વળતર અપાવવા તથા કાયમી ધોરણે આનો નિકાલ કરવા માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

ગાંધીનગરમાં રાજ્યની 16 કોલેજના અધ્યાપકો દ્વારા મૌન ધરણા યોજાયાં

ProudOfGujarat

સુરેન્દ્રનગરની દૂધરેજ કેનાલમાં પરિવારનાં 3 સભ્યોએ જીવન ટૂંકાવ્યું

ProudOfGujarat

ભરૂચ : સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને જિલ્લા કક્ષા ડિસ્ટ્રીકટ ડેવલ્પમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનિટરીંગ સમીતી ( દિશા ) ની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!