Proud of Gujarat
FeaturedGujarat

કાલોલના સરકારી ગોડાઉનમાં ઓડીટ દરમિયાન અનાજની બોરીઓની ઘટ આવતા કૌભાંડની આંશકા.

Share

પંચમહાલ રાજુ સોલંકી

છેવાડાના માનવી સુધી સરકાર અનાજનો જથ્થો પહોચે તે માટે સસ્તા અનાજની દુકાનો કાર્યરત હોય છે.આ દુકાનોમાં જથ્થો આવે છે.તે તાલુકા મથકો ખાતે આવેલા સરકારી અનાજના જથ્થાને ગોડાઉનમાં રાખવામાં આવે છે.ત્યાથી સસ્તા અનાજની દૂકાનદારોને ફાળવામાં આવે છે.પણ ગણીવાર આવા ગોડાઉનમાથી પણ અનાજનો કોળીયો છીનવાઇ જતો હોય છે.આવોજ મામલો કાલોલમાં પ્રકાશમાં આવ્યો છે.

Advertisement

પંચમહાલ જીલ્લાના કાલોલ ખાતેના સરકારી ગોડાઉનમા આ સરકારી અનાજનો જથ્થા ની ૧૬૦૦૦ જેટલી ગુણો ઓછી હોવાનુ ઓડીટ દરમિયાન તપાસમા બહાર આવતા એક મસમોટા કૌભાડની આશંકા વ્યક્ત થઈ રહી છે.આ મામલે ગોડાઉનના મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.હાલ આ મામલાની તપાસ એક ઉચ્ચકક્ષાની ટીમ દ્વારા કરવામાં આવી રહીછે. તેમ જાણવા મળ્યુ છે.આ અનાજના જથ્થાની રકમ કરોડોમાં હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.


Share

Related posts

ભરૂચ ખાતે યોજાનાર લોક રક્ષક દળની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરાઈ.

ProudOfGujarat

ભરૂચ:સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat

૧૧ જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!